SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે બેસવું વગેરે) સેવવા તત્પર થઈ જાય છે. માટે પૂર્વે જણાવી ગયા કે મધ્યમ જીવોનું આચરણ ઉત્તમ હોતું નથી. પણ મધ્યમ હોય છે. આવું અનેક બાબતમાં બને છે. જિનાજ્ઞા આજીવન ગુરુકુલવાસની છે. પણ ગુરુભગવંતની સાથે તો મોટો ગચ્છ હોય. એમાં બાળ-વૃદ્ધ-ગ્લાન વગેરે પણ હોય. આ બધા કારણે અમુક – અમુક દોષ લાગવાની સંભાવના રહ્યા જ કરતી હોય છે. મધ્યમજીવ આચરણમાં સૂક્ષ્મ નિર્દોષતાની પ્રધાનતાવાળો હોવાના કારણે આ દોષોથી દુભાયા કરે છે. અલબત્ શ્રી ઉપદેશમાળા વગેરે શાસ્ત્રોમાં ગુરુકુલવાસ છોડીને એકાકી બની જવામાં કેવા કેવા મોટા દોષોની સંભાવના ઊભી થાય છે એનું વર્ણન છે જ. પણ એ દોષો તત્કાળ લાગતા જણાતા નથી. ને ગોચરીમાં નાના-નાના દોષ લાગવા વગેરે દોષો તો રોજિંદા અનુભવાય છે. નિર્દોષ ગોચરી વગેરે કઠોર સંયમચર્યા પણ આજ્ઞા મુજબની હોય તો જ હિતકર બને છે આવા ઐદંપર્યાર્થિને એ પામેલો હોતો નથી. એટલે “મારે તો નિર્દોષ સંયમ પાળવું છે. ને ગચ્છમાં તો નાના-મોટા દોષ લાગ્યા જ કરે છે. એટલે હું તો હવે એકલો વિચરીશ ને નિર્દોષ સંયમ પાળીશ' આવું વિચારીને એ આજીવન - ગુરુકુલવાસની આજ્ઞાનો ભંગ કરીને એકલવિહારી બની જાય છે. અલબત્ બાળજીવ તો સાધુવેશ મળી ગયો એટલે ભયો ભયો.... આવું માનનારો હોય છે. સંયમપાલનમાં નિર્દોષતાની એને કોઈ જરૂર ભાસતી હોતી નથી. માટે ડગલે ને પગલે નિષ્કારણ દોષો લગાડ્યા કરતો હોય છે. માટે એનો આચાર અધમ હોવો કહ્યો છે. મધ્યમજીવ બહારથી સુંદર – નિર્દોષ આચરણવાળો હોય છે, પણ એમાં જિનાજ્ઞા ભળેલી હોતી નથી, માટે ઉત્તમ નહીં, પણ મધ્યમ આચરણવાળો કહેવાય છે. પંડિતજીવ તો “આજ્ઞા ધર્મે સાર:' આ ઐદંપર્યાર્થને જ સર્વત્ર મહત્ત્વ આપતો હોવાથી જિનાજ્ઞા મુજબ જ આચરણ કરનારો હોય છે, તે માટે ઉત્તમ આચારવાળો હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004973
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy