SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ બત્રીશી-૨, લેખાંક-૮ જ્ઞાનીઓ આપતા નથી, આમાં આય=લાભ કરતાં ભય=નુકશાન વધારે છે એ વાતને પંડિતજીવો સરળતાથી સમજી શકે છે. તે આ રીતે - જ્યાં અલાયદી જગ્યા વગેરેના કારણે કદાચ વિજાતીય પર દૃષ્ટિ વગેરે દોષ સંભવતા નથી.. તેમજ એકલા બેસવા ઇચ્છનાર સાધુ પોતે દૃઢવ્રતી હોવાના કારણે બ્રહ્મચર્યવ્રતને જોખમ જેવું માનતા નથી.. એટલે એ એકલા બેસે.. તો પછી કાળાન્તરે અન્યત્ર સ્થાનમાં જ્યાં વિજાતીય દર્શન વગેરે શક્ય હોય ત્યાં પણ એ સાધુ વધુ પડતા આત્મવિશ્વાસમાં રહી એકલા બેસવા લલચાશે જ. ને એ જ એક મોટો જુગાર પુરવાર થઈ શકે. ક્યારેક એવા દૃઢવ્રતી ન હોય એવા અન્ય સાધુને પણ આમ એકલા બેસવાની ઇચ્છા થાય, પંચમ કાળ છે, જીવો વક્ર અને જડ છે. એટલે ગુરુ ભગવંત એમને એકલા બેસવાની ના પાડે તો તરત સામો પ્રશ્ન ઊઠાવે કે તમે પેલા મહાત્માને બેસવા દો છો તો મને કેમ ના પાડો છો ? અને ગુરુભગવંત જો કારણ કહે કે - તું બ્રહ્મવ્રતમાં એવો દૃઢ નથી... વગેરે, તો તો એ સાધુ હોબાલો જ મચાવી દે કે ‘હું પાપ કરવાનો છું ? તમે ખોટો આરોપ મૂકો છો.. મારા પર શંકા કરો છો..’ વગેરે વગેરે... પછી ગુરુ ભગવંત પણ ના પાડી શકે નહીં. ને ક્યારેક તો ગુરુ ભગવંતને પૂછ્યા વિના જ એ રીતે બેસવાનું ચાલુ કરી દે.. જે એના સંયમ માટે ખૂબ મોટું જોખમ બની શકે છે. પછી બીજા - ત્રીજા વગેરે પણ બેસવા માંડે.. ને એકલા બેસવું નહીં આ ઉત્તમ મર્યાદાનો લોપ જ થઈ જાય. – આમ, નક્કી થયું કે અલગ રૂમમાં બેસવાથી સ્વાધ્યાય સારો થવો વગેરે તત્કાળ લાભ કરતાં અલગ રૂમમાં એકલા બેસવાની અનવસ્થા (નુકશાનકર્તા હોવાના કારણે અનિષ્ટ એવી પરંપરા)ચાલે અને અનેકના સંયમ માટે જોખમ ઊભું થાય એ નુકશાન અનેકગણું વધારે છે. પણ આવા નુકશાન સુધી મધ્યમજીવની દૃષ્ટિ પહોંચતી નથી. ને તેથી એ તો તત્કાળ લાભકર્તા જણાતું આચરણ (અલગ Jain Education International ૭૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004973
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy