SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે બીજી ભાષામાં કહીએ તો ઉત્તરોત્તર રાગ-દ્વેષ વધુ ને વધુ ઘટાડતા જવું એ ઉપાય છે. એટલે જ ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજે પોતાના ઢગલાબંધ ગ્રન્થોના ઉપસંહારમાં કહ્યું છે કે - વધારે શું કહેવું ? જેમ જેમ રાગ-દ્વેષ શીઘ્ર વિલય પામતા જાય તેમ તેમ પ્રવર્તવું એ શ્રી જિનેશ્વરભગવંતોની આજ્ઞા છે. અર્થાત્ રાગ-દ્વેષની હાનિ કરતા રહેવું એ જ આપણી સાધના છે.) આપણી વિપુલ સ્વાધ્યાય, ઘોર તપશ્ચર્યા, વિશિષ્ટ પ્રકારનો ત્યાગ, સંયમજીવનની સૂક્ષ્મકાળજી - જયણાવાળી ચર્ચા... વગેરે કોઈપણ આરાધના જે અને જેવો મોહનીયનો ક્ષયોપશમ કરાવી આપે છે તેના કરતાં કૈંક ગુણો અધિક ક્ષયોપશમ આજ્ઞાનું પાલન કરાવી આપે છે. એનાથી પણ આગળ વધીને કહીએ તો, બાહ્યદૃષ્ટિએ જે આરાધનારૂપ લાગે છે તેવા સ્વાધ્યાય વગેરે પણ જો, આજ્ઞાપાલનપૂર્વક નહીં, પણ આજ્ઞાનું ઉલ્લંઘન કરીને થતા હોય તો મોહનીયનો ક્ષયોપશમ તો કરાવી શકતા નથી જ, પણ એમાં રહેલું આજ્ઞાનું ઉલ્લંઘન, ઉ૫૨થી મોહનીયનો બંધ કરાવે છે - મોહનીયને પ્રબળ બનાવે છે. એટલે, તમે કહો છો એવા સ્વાધ્યાયથી કદાચ બોધ વિશદ થાય તો પણ એ શ્રેયસ્કર તો બનતો નથી જ. પ્રશ્ન : આર્ય વયં તુલિજ્જા લાહાકંખિવ્વ વાણિયઓ.. (અર્થઃ વાણિયો જેમ પૈસા કમાવવાની દૃષ્ટિ હોવાથી, કેટલો ખર્ચ થશે ને સામે કેટલી કમાણી થશે એનો હિસાબ મૂકી જે રીતે કમાણી વધારે થાય એ રીતે વેપાર કરે છે... એમ સાધકે સાધના કરવાની હોય છે.) આવા શાસ્ત્રવચનાનુસા૨ે તો પ્રસ્તુતમાં આજ્ઞા જ આવા પ્રકારની ન હોઈ શકે ? કે - આવો વિશેષ પ્રકારે સ્વાધ્યાયાદિનો લાભ થતો હોય (ને બ્રહ્મચર્યને જોખમ જેવું ન હોય તો) અલગ કમરામાં એકલા બેસવાની પણ છૂટ.. ઉત્તર : આ આર્ય વયં તુલિજ્જા... ન્યાયે જ આવી છૂટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004973
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy