SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ બત્રીશી-૧, લેખાંક-૧ સહેલો છે, શીલ ધર્મ એના કરતાં અઘરો છે, તપ ધર્મ એના કરતાંય અઘરો છે અને ભાવધર્મ સહુથી અઘરો છે. માટે દાનધર્મ સહુથી પ્રથમ છે. વળી, ઘણું ખરું જીવો સુપાત્રદાન કે અનુકંપાદાન દ્વારા ધર્મમાં પ્રવેશ પામે છે, જેમકે ધનાસાર્થવાહ, નયસાર, મેઘકુમારનો જીવ હાથી... વગેરે. માટે પણ દાનધર્મ સહુથી પ્રથમ છે. એટલે દાન ધર્મ એ શ્રેષ્ઠ મંગળ રૂપ છે. તેથી ગ્રન્થકાર સહુથી પ્રથમ આ દાનધર્મ પર પ્રકાશ પાથરનાર દાન બત્રીશીથી ગ્રન્થનો પ્રારંભ કરે છે. શંકા ‘દાન’ પરમમંગલરૂપ છે, એ તો સમજ્યા. પણ એટલા માત્રથી એને જ પ્રારંભમાં કહેવાની શી જરૂર ? - સમાધાન સારાં કામમાં સો વિઘન...' ગ્રન્થરચના તો એક અત્યંત સારું કાર્ય છે.. એ શી રીતે ? આ રીતે - જીવનું સંસાર ભ્રમણથી લઈને નાનું મોટું જે કાંઈ દુઃખ હોય છે એ બધાના મૂળમાં કર્મ છે... આ કર્મોનો નાશ કરનાર કોઈ અમોઘ સાધન હોય તો એ તપ છે. આ તપ બાર પ્રકારનો છે. પણ એમાં સ્વાધ્યાય જેવો કોઈ તપ નથી' એવું જ્ઞાનીઓનું ટંકશાળી વચન છે. એટલે, ગ્રન્થરચના વગેરે રૂપ સ્વાધ્યાયથી ઢગલાબંધ પાપોનો નાશ થાય છે. માટે ગ્રન્થરચના વગેરે સારાં કાર્યરૂપ છે. એટલે એમાં સંભવિત વિઘ્નો આવા શુભકાર્યને ખોરંભે ન પાડી દે એ માટે પ્રારંભે મંગલ કરવું આવશ્યક હોય છે. શંકા - ગ્રન્થકારને કોઈ બિમારી આવી જાય અથવા અન્ય કોઈ ચિંતા આવી જાય તો ગ્રન્થરચના અટકી જાય.. એટલે આ બધું વિજ્ઞરૂપ કહેવાય એ બરાબર છે. પણ જ્યારે ગ્રન્થરચનાનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે તો આવું કોઈ વિષ્ર છે નહીં. એટલે જે હજુ ઉત્પન્ન જ થયું નથી, એનો મંગળ કરવાથી નાશ શી રીતે થઈ શકે? Jain Education International ૩ સમાધાન તમારી વાત સાચી છે. ગ્રન્થના પ્રારંભકાળે બિમારી વગેરે કશું નથી. છતાં, ભવિષ્યમાં બિમારી વગેરે જેનાથી - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004973
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy