SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે સંસ્કૃત ભાષામાં લખ્યું છે, જેનું નામ છે - ‘તત્ત્વાર્થદીપિકા'. સંસ્કૃત ભાષાના અનભિજ્ઞ જિજ્ઞાસુઓ આ મજાના ખજાનાથી વંચિત ન રહે એ માટે ગુજરાતી વિવેચન પણ આ ગ્રન્થનાં પ્રકાશિત થયા છે. છતાં તર્કશૈલિથી અપરિચિત અને ઊંડાણથી શાસ્ત્રીય પદાર્થોના અજાણ ભાવુકોને પણ કંઈક બોધ મળે એ માટે આ લેખમાળા છે. એટલે, ઉપર્યુક્ત મૂળ અને વિવેચન ગ્રન્થને અનુસરીને લખાણ કરવાનું હોવા છતાં એમાંના તર્કપૂર્ણ ચર્ચાવાળા અધિકારોને આ લેખમાળામાં લેવા નથી.. ને એ સિવાય પણ જે લેવા છે તે લોકભોગ્ય બની શકે એ રીતે - એટલા પ્રમાણમાં લેવા છે, તે જાણવું. ૨ જેની જાણકારી અનેક રીતે સ્વ-પરને હિતકર બની શકે એવા ઢગલાબંધ શાસ્ત્રીય પદાર્થો ગ્રન્થકારના મનમાં રમે છે. એમાંથી અનેક પદાર્થોનું નિરૂપણ કરવું છે. પણ પ્રારંભ શાનાથી કરવો ? ને ગ્રન્થકારે પસંદગીનો કળશ ઢોળ્યો 'દાન' પર. શા માટે ? એટલા માટે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થોમાંથી ધર્મપુરુષાર્થ શેષ ત્રણ પુરુષાર્થોના કારણભૂત છે, ને તેથી જ એનો સૌ પ્રથમ ઉલ્લેખ છે. વળી, આ ધર્મ પણ દાન, શીલ, તપ અને ભાવ... આમ ચાર પ્રકારનો છે. એમાં દાન ધર્મ સૌ પ્રથમ છે. આશય એ છે કે આ ચારેય પ્રકારનો ધર્મ કરવા માટે અનુક્રમે ધન, ઇન્દ્રિય, દેહ અને મન પ્રત્યેનું આત્માનું અનાદિકાળથી જે આસક્તિનું વલણ છે, તેને બદલવું વિશેષરૂપે આવશ્યક હોય છે. વળી આ ચારમાં મન એ આત્માની સહુથી નજીક છે, શરીર, મનની અપેક્ષાએ કંઈક દૂર છે. ઇન્દ્રિયો શરીર કરતાં પણ વધારે દૂર છે.. જ્યારે ધન, આ ત્રણ કરતાં આત્માથી સૌથી વધારે દૂર છે. એટલે જ, મન કરતાં શરીર પ્રત્યેનું વલણ બદલવું કંઈક સ૨ળ છે.. ને એના કરતાં પણ ક્રમશઃ ઇન્દ્રિય અને ધન પ્રત્યેનું વલણ બદલવું ઉત્તરોત્તર સરળ છે. આ અપેક્ષાએ એમ કહી શકાય છે કે દાનધર્મ સહુથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004973
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy