SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ લેખાંક, પંડિત જીવ મહાવાક્યાર્થ અને ઐપર્યાર્થ સુધી પહોંચી શકે છે એવું ગયા લેખમાં જે કહેલું એને આ લેખમાં વિસ્તારથી સમજીએ. પંડિત જીવ માત્ર વૃત્તને= પ્રવૃત્તિને જ મહત્ત્વ આપીને અટકી જતો નથી. પણ એના ભાવી પરિણામને પણ મહત્ત્વ આપે છે. વળી એ સારી પેઠે જાણતો હોય છે કે આત્માનું હિત કે અહિતરૂપ પરિણામ એ અતીન્દ્રિય પદાર્થ છે. ને અતીન્દ્રિય પદાર્થો અંગે શાસ્ત્રવચનો પરથી મળતું માર્ગદર્શન એ જ શરણ છે. એટલે પ્રવૃત્તિના વર્તમાન સ્વરૂપ કરતાં પણ શાસ્ત્રોમાં એ પ્રવૃત્તિ અંગે શું કહ્યું છે, એને એ વધારે મહત્ત્વ આપે છે. અને તેથી શાસ્ત્રવિહિત પ્રવૃત્તિમાં કદાચ અશક્ય પરિહાર રૂપે હિંસા સંકળાયેલી હોય તો પણ એમાં હિતકરતા હોવી એને અસંગત ભાસતી નથી અને તેથી પૂર્વાપરવિરોધને ટાળવા માટે “શાસ્ત્રવિહિત પ્રવૃત્તિ સિવાયની પ્રવૃત્તિમાં થતી હિંસાનો જ “હંતવા નો ભૂઆ સર્વે આવા શાસ્ત્રવચનથી નિષેધ છે. આવો મહાવાક્યર્થ જે કહેવામાં આવે છે એને પંડિત જીવ સ્વીકારી શકે છે. અલબત્ત, “શાસ્ત્રવિહિત હોવા માત્રથી જીવોની પીડા શું ટળી જાય ? ને પીડા જો નથી ટળતી, તો એ ધર્મરૂપી શી રીતે બને ?” આવી શંકા મનમાં ઘોલાયા કરવી અશક્ય નથી. પણ પછી, “જિનાજ્ઞા ધર્મે સાર:' આવો ઐદંપર્યાર્થ જ્યારે સાંભળવા મળે ત્યારે એ ઐદંપર્યાર્થને સમજવાની ને સ્વીકારવાની ભૂમિકા હોવાથી પંડિત જીવની શંકા સંપૂર્ણ રીતે નિર્મૂળ થઈ શકે છે. આશય એ છે કે “અહિંસા પરમો ધર્મ આ સ્થૂલ સૂત્ર છે. “આજ્ઞા પરમો ધર્મ” આ સૂક્ષ્મ સૂત્ર છે. પ્રવૃત્તિ ધર્મરૂપ બને કે અધર્મરૂપ બને એના આધાર તરીકે અહિંસા કે હિંસા કહેવી એ ભૂલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004973
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy