SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ બત્રીશી-૨, લેખાંક-૭ ૬૫ ‘કોઈને પીડા ન કરવી’ એવું જાણ્યા પછી એ પ્રવૃત્તિનો પણ વિચાર કરે જ છે. તેથી જો એ પૃથ્વીકાય વગેરેને જીવો તરીકે જાણતો હોય તો એને શંકા પડી શકે છે કે આમાં તો અન્યજીવોને પીડા પહોંચાડવાનું થાય છે. એટલે આ પ્રવૃત્તિ શી રીતે કરી શકાય? આમ મધ્યમ જીવ વાક્યાર્થ સુધી પહોંચી શકે છે. પણ મહાવાક્યાર્થને એ પામી શકતો નથી. કારણ કે એ પ્રવૃત્તિને જ મુખ્ય કરનારો હોવાથી એની નજરમાં હિંસાનું જ મહત્ત્વ વધારે રહ્યા કરે છે. વળી ક્ષયોપશમ એટલો તેજ નથી કે જેથી સંયમરક્ષા વગેરેરૂપ ભાવી અધિક સારા ફળને એ જોઈ શકે, ને તેથી એનું મહત્ત્વ આંકી નદી ઉતરણમાં પણ આરાધના માની શકે. એટલે, મહાવાક્યાર્થને જ પામી શકતો ન હોવાથી ઐદંપર્યાર્થ સુધી પહોંચવાની તો વાત જ રહેતી નથી. મહાવાક્યાર્થ અને ઐદંપર્યાર્થને તો પંડિતજીવ જ પામી શકે છે... એ શી રીતે ? એ હવે આગળના લેખમાં વિચારીશું. જે નામ આકૃતિ તથા સદ્દવ્ય ને શુભભાવથી, પાવન ક૨ે ત્રણ જગતને ઉગારવા દુર્ભાવથી, સર્વકાળે સર્વક્ષેત્રે જેહનો મહિમા વળી, અરિહંત તે ભગવંતની ઉપાસના કરું લળી લળી. ૧ મહાવીર! તારું નામ મારી જીભનું ગાયન બને, મહાવી૨! તારું બિંબ મારાં નેત્રનું દર્શન બને, નયસાર ને મરીચિ પ્રમુખ મુજ હૃદયનું મંથન બને, મહાવી૨! પ્રાતિહાર્ય તુજ મુજ ધ્યાનનું ભૂષણ બને. ૨ ભુવનભાનુ! તુજ નામ સુંદર સારતું મુજ કાર્યને, આદર્શ બનતી તાહરી મુદ્રાઓ સાધક સંતને, છો દેવલોકે દેવ તો કરજો સદા સાન્નિધ્યને, નિક્ષેપ બોધ પ્રકાશનારા ભુવનભાનુ! નમું તને. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004973
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy