SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે બને?” આવી કોઈ જ શંકા ન રહે એ માટે તે તે સૂત્રનું ઐદંપર્ય-તાત્પર્ય જણાવનારો વચનપ્રયોગ જે કરવામાં આવે કે “આજ્ઞા ધર્મે સાર” (અર્થાત ધર્મમાં સારભૂત-મહત્ત્વ ધરાવતી કોઈ બાબત હોય તો એ જિનાજ્ઞા છે.) આવું વાક્ય એ ઐદંપર્યાર્થ છે. બાળજીવોનો જ્ઞાનાવરણનો ક્ષયોપશમ એવો તેજ હોતો નથી... માટે તેઓ માત્ર પદાર્થ સુધી પહોંચે છે. આશય એ છે કે “હંતવા નો ભૂઆ સર્વે’ આવા સૂત્રનો અર્થ જ્યારે બાળજીવો સાંભળે છે ત્યારે કોઈપણ જીવને પીડા પહોંચાડવી નહીં..” એને તેઓ ધર્મ તરીકે સમજે છે. પછી કાળાન્તરે જ્યારે તેઓ જિનમંદિરનિર્માણ, નદીઉતરણ વગેરેને જણાવનાર સૂત્રોનો યથાશ્રુત અર્થ સાંભળે છે ત્યારે એ જિનમંદિર નિર્માણ વગેરેને એ ધર્મ તરીકે સ્વીકારી લે છે. વળી આ તે તે પ્રવૃત્તિને “ધર્મ તરીકે સ્વીકારવામાં એ જે તે પ્રવૃત્તિનું સ્વરૂપ નથી જોતો, અર્થાત્ “આ પ્રવૃત્તિમાં અહિંસા વણાયેલી છે, માટે એ સુંદર સ્વરૂપવાળી હોવાથી ધર્મરૂપ છે..” “ફલાણા અનુષ્ઠાનમાં વિષયોથી પરોગમુખ થવાનું છે, માટે એ ધર્મરૂપ છે...” આવું બધું એ વિચારતો નથી, પણ “ધર્મશાસ્ત્ર' તરીકે પ્રસિદ્ધ શાસ્ત્રમાં આનુઆ કરવાનું કહ્યું છે... માટે એ ધર્મરૂપ છે. અથવા ધર્મગુરુ તરીકે પ્રસિદ્ધ વ્યક્તિ કહી રહી છે માટે એ ધર્મરૂપ છે. આ રીતે એ તે તે પ્રવૃત્તિનો ધર્મ તરીકે સ્વીકાર કરે છે. આ રીતે જિનમંદિરનિર્માણ વગેરેનો ધર્મરૂપે નિર્ણય કરતી વેળા, ક્ષયોપશમ એટલો તેજ ન હોવાના કારણે, એને પૂર્વે તો સર્વ જીવોની અહિંસાને મેં ધર્મ તરીકે જાણેલો છે. ને હવે જેમાં પૃથ્વીકાય વગેરેની વિરાધના છે એવા આ જિનમંદિરનિર્માણ વગેરેને ધર્મ રૂપે કહેવાઈ રહ્યા છે. તો આવું કેવી રીતે સંભવે? આવી શંકા એને પડતી જ નથી. એટલે કે એ વાક્યર્થ સુધી પહોંચતો જ નથી. મધ્યમજીવનો ક્ષયોપશમ વધારે વિકસેલો હોવાથી એ વાક્યાર્થ સુધી પહોંચે છે. અર્થાત્ પૂર્વાપરનું અનુસંધાન થવાથી એને સંદેહ પડી શકે છે. આશય એ છે કે એ વૃત્તને= પ્રવૃત્તિને જોનારો હોય છે. એટલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004973
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy