SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩ બત્રીશી-૨, લેખાંક-૭, અવિધિકૃત હિંસાનો નિષેધ છે. અર્થાત્ સંયમરણાર્થે નદી ઉતરવી વગેરે શાસ્ત્ર વિહિત પ્રવૃત્તિ સિવાયની પ્રવૃત્તિમાં થતી હિંસાનો નિષેધ છે. એટલે કે નિષેધ અલગનો છે ને વિધાન અલગ બાબતનું છે, માટે કોઈ પૂર્વાપર વિરોધ નથી. વળી, આ રીતે નદી ઉતરવાની હોય ત્યારે એ શી રીતે ઉતરવી? એનો વિધિ પણ શાસ્ત્રોમાં દર્શાવ્યો હોય છે કે “એક પગ પાણીમાં હોય ત્યારે બીજો પગ આકાશમાં હોય. પછી બીજો પગ પાણીમાં મૂકવામાં આવે ત્યારે પ્રથમ પગ આકાશમાં અદ્ધર કરવો...” વગેરે. આ રીતે વિધિનું પાલન કરવાથી અપૂકાય વગેરે જીવોની જેટલી પીડાનો પરિહાર શક્ય હોય (જેટલી પીડા ટાળી શકાય એમ હોય) એટલી પરપીડાનો પરિહાર થાય છે. એટલે આ અંશમાં પરપીડાનો પરિહાર કરવો જોઈએ” એવા સૂત્રનું પણ પાલન થાય જ છે. એટલે, જેનો પરિહાર અશક્ય હોય એવી અશક્ય પરિહારવાળી પીડા જ ઊભી રહે છે. એમાં પણ છેવટે સંયમપાલન દ્વારા સર્વજીવોને અભયદાનની ઉદાત્ત ભાવના હોવાથી અનુબંધથી તો અહિંસાનું પાલન હોય જ છે. પણ વિધિપાલન કરવામાં પ્રમાદ કરવામાં આવે તો, શક્ય પરિહારવાળી પીડાનો પણ પરિહાર થતો નથી. વળી આ પીડા કાંઈ સંયમરક્ષાર્થ હોતી નથી. એટલે એ પરિણામે પણ અહિંસારૂપ બનતી નથી. માટે અવશ્ય વિધિતત્પર બનવું જોઈએ... આવી બધી સમજણ આપતા વચનપ્રયોગો એ મહાવાક્યર્થ છે. આ રીતે મહાવાક્યર્થ દ્વારા સંદેહનું સમાધાન આપવા છતાં મનમાં શંકા રહ્યા કરે કે “ભલે ને સાધુઓ માટે નદી ઉતરણ કે શ્રાવકો માટે જિન મંદિરનિર્માણ વગેરે શાસ્ત્રવિહિત હોય. પણ એટલા માત્રથી આ પ્રવૃત્તિ કરતી વખતે કોઈપણ જીવને પીડા પહોંચે જ નહીં, એવું થોડું છે? અપૂકાય વગેરે જીવોને પીડા પહોંચે જ છે. અને જો બીજા જીવોને પીડા પહોંચે છે તો અન્ય આરંભ-સમારંભની ક્રિયાની જેમ આ પ્રવૃત્તિથી પણ આપણા આત્માને નુકશાન કેમ ન થાય ? એ અધર્મરૂપ કેમ ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004973
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy