SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ લેખાંક ગયા લેખમાં બાળજીવની વાત કરી. જે જીવો નિર્ણય કરવા માટે માત્ર વેશને-બાહ્ય દેખાવને જ નથી જોતાં, પણ એ વેશને અનુરૂપ વૃત્ત=આચરણ છે કે નહીં એ પણ વિચારે છે... અર્થાત્ અનુરૂપ આચરણ હોય તો જ ધર્મની-ગુરુપણાની વિદ્યમાનતા માને છે તેઓ મધ્યમ છે. શાસ્ત્ર વચનોના ઐદંપર્યાર્થનો (ઊંડા રહસ્યાર્થનો) વિચાર કરીને જે કાર્ય થાય.... એમ ગૌરવ... લાઘવનો વિચાર કરીને (- શેમાં લાભ વધારે છે ને શામાં ઓછો છે ? એનો દીર્ઘકાલીન પરિણામ સુધીનો વિચાર કરીને) જે કાર્ય થાય એ અત્યુત્તમ હોય જ. મધ્યમજીવો આવો વિચાર કરીને કાર્ય કરવાવાળા હોતા નથી, માટે એમનું આચરણ ઉત્તમ હોતું નથી. છતાં સૂત્ર પરથી ઉપરછલ્લો અર્થ કરી લેવાથી જે વાતો મળે એને અનુસરીને આચરણ કરવાવાળા હોય છે, સાવ સૂત્રને નેવે મૂકીને આચરણ કરવાવાળા હોતા નથી. માટે એમનું આચરણ અસદ્ પણ હોતું નથી. એટલે જણાય છે કે તેઓ મધ્યમ આચરણવાળા હોય છે. જેઓ સર્વપ્રયત્નપૂર્વક શાસ્રતત્ત્વને-મૂળભૂત સિદ્ધાંતોને તપાસે છે, (એમ સામા જીવની આંતરિક પરિણતિને તપાસે છે, માત્ર વેશ કે બાહ્યવૃત્ત પર જ ભરોસો મૂકી દેતા નથી) તેઓ પંડિત છે, તાત્ત્વિક દૃષ્ટિએ આ જીવો જ જ્ઞાન-દર્શન-ચારિત્ર રૂપ માર્ગને અનુસરનાર હોઈ ઉત્કૃષ્ટ આચારવાળા હોય છે. Jain Education International લોકમાં પણ જોવા મળે છે કે બાળક માત્ર ચળકાટને જોઈને આકર્ષાઈ જાય છે. અને તેથી વધુ ચળકાટવાળા ઈમીટેશનને પકડે છે, સાચા રત્નને છોડી દે છે. મધ્યમબુદ્ધિવાળો થયેલો માણસ ભેગી રત્નની કિંમત, વજન, નિર્મળતા વગેરે પણ જુએ છે. જ્યારે કુશળ પારખું For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004973
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy