SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ . . .. . . .... પ૪ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે શિથિલાચાર હોય તેની પણ ત્યાગી તરીકે પૂજા કરે છે, અને એ દ્વારા એ વેશધારીના અસદ્ આચરણોને પ્રોત્સાહન આપે છે, એને વધુ શિથિલ બનાવે છે. બીજા પણ જેઓ હજુ આચરણમાં શિથિલ નથી બન્યા... પણ વિચારમાં શિથિલતા પેસી ગઈ છે, તેવાઓને પણ “કદાચ બહારથી શિથિલ આચારવાળા બનશું તો પણ વેશના કારણે આપણી મહત્તા રહેવાની જ છે, માન-સન્માન મળવાના જ છે આવી ધરપતના કારણે શિથિલ બનવામાં પ્રેરક બને છે. પણ મધ્યમ જીવ શિથિલાચારીને પૂજતો નથી, માટે શિથિલાચારને વધારવામાં નિમિત્ત બનતો નથી, એમ જ કોઈક મનથી ઢીલું પડી ગયું હોય તો પણ “જો હું શિથિલાચારી બની જઈશ તો મારા માન-સન્માન ચાલ્યા જશે” આવા ભયથી શિથિલાચારથી દૂર રહે છે એટલે કે શિથિલાચારને અટકાવવામાં મધ્યમજીવ નિમિત્ત બની શકે છે. આવા અભિપ્રાયથી પણ, બાળજીવ અસઆચરણવાળો ને મધ્યમજીવ મધ્યમ આચરણવાળો.. એમ જ્ઞાનીઓએ કહ્યું હોય એવું સમજી શકાય છે. અભવ્ય જીવો ઈન્દ્ર, અનુત્તરદેવ, શલાકાપુરુષ, નારદ, શાસનના અધિષ્ઠાયક દેવ-દેવી, લોકાંતિકદેવ, પરમાધામી દેવ, યુગલિક મનુષ્ય, વિમાનના સ્વામીદેવ, શ્રી જિનેશ્વરના માતા, પિતા, પત્ની, યુગપ્રધાન આચાર્ય વગેરે બનતા નથી. શ્રી તીર્થંકર-ગણધર કે કેવલીના હાથે દીક્ષા પામતા | નથી. શ્રી તીર્થકરનું સાંવત્સરિક દાન પામતા નથી. સમ્યકત્વ વગેરે લબ્ધિઓ પામતા નથી. પૃથ્વીકાય વગેરેમાં જાય ત્યારે તીર્થકરની પ્રતિમા-૧૪ રત્નપણું વગેરે પામતા નથી. તેઓમાં વાસ્તવિક પ્રભુભક્તિ, ગુણવાનપણું, સાધર્મિકવાત્સલ્ય, તપ વગેરે સાધના સંભવતા નથી. -અભવ્યકુલકના આધારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004973
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy