SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ બત્રીશી-૨, લેખાંક-૬ ૫૩ હોતી નથી. એટલે એ સ્વયં લાંચ લેવી-લોકોને ત્રાસ આપી-દબડાવી પૈસા પડાવવા... વગેરે અસદ્ આચારમાં પડશે. એમ કોઈક બાળજીવ ઠેઠ ચારિત્રજીવનનો સ્વીકાર કરે તો પણ, જો ગ્રહણ-આસેવન શિક્ષા દ્વારા એ આગળની મધ્યમ-પંડિત અવસ્થા ન પામે તો, એ વેશમાત્રને પ્રધાન કરનારો રહેવાથી સાધુવેશમાં જ સંયમની પૂર્ણાહૂતિ માનનારો બની જશે. અર્થાત્ સાધુવેશ મળી ગયો એટલે “સંસારમાં હતા ત્યાં સુધી ખાડામાં હતા, હવે તો આપણો ઉદ્ધાર થઈ ગયો આવો મિથ્થા સંતોષ માનનારો બને છે. “ચારિત્ર લીધું એટલે કાંઈ કાર્ય પતી ગયું નથી, હવે તો સાધનાની શરૂઆત થાય છે.' ઇત્યાદિ કોઈ વિચાર એને રહેતો નથી. “વેશ લેવા માત્રથી સાધુપણું આવી જતું નથી, વેશની સાથે આચાર અને વિચારનું પણ યોગ્ય પરિવર્તન થાય તો જ વાસ્તવિક સાધુપણું આવે” આવો ખ્યાલ આવવાની એની ભૂમિકા જ હોતી નથી. એટલે સંયમજીવનને ઉચિત આચારોના પાલનનું તથા અતિચાર-અનાચારના વર્જનનું એને મહત્ત્વ રહેતું નથી. અને તેથી અનાદિકાલીન સંસ્કારવશાત, વેશને અનુરૂપ ન હોય એવા પણ અનેક અસદ્ આચરણોમાં એ સરકી પડે છે. પણ જો એ જીવ “મધ્યમ' હોય કે ગ્રહણ-આસેવનશિક્ષા દ્વારા મધ્યમ બને તો વેશમાત્રને પ્રધાન કરનારો રહેતો નથી, પણ, “મારું આચરણ કેવું છે?” એ જોનારો પણ બને છે. અર્થાત્ “મારું આચરણ આવુંઆવું હોય તો જ હું સાધુ. માત્ર વેશ પહેરી લેવાથી કાંઈ હું સાધુ બની જતો નથી.” આવી પણ એની દૃષ્ટિ બને છે. ને તેથી એ આચારપાલનને મહત્ત્વ આપનારો બનવાથી અસઆચારોથી બચી શકે છે. અને તેથી મધ્યમઆચારવાળો છે. એટલે જ જ્ઞાનીઓએ “મધ્યમ' જીવને, બાળજીવની અપેક્ષાએ મધ્યમ આચારવાળા કહ્યા છે અને ઉત્તમજીવોને ઉત્તમ આચારવાળા કહ્યા છે. બાળજીવ માત્ર વેશને જોનારો હોવાથી જે વેશધારીમાં અક્ષત્તવ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004973
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy