SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે અને વક્તા બંનેને નુકશાન થાય છે. એટલે આમાં વિરોધ કેમ નહીં ? વળી શ્રોતાના મનમાં કેવા ભાવો રમે છે ? શ્રોતાની બાળ મધ્યમ વગેરે કઈ ભૂમિકા છે? આ બધું છબસ્થ વક્તા માટે જાણવું સહેલું પણ ક્યાં છે ? એટલે ઉપદેશક મહાત્મા માટે તો, શ્રોતાની ભૂમિકા કઈ છે એ પંચાતમાં પડ્યા વગર અનુગ્રહબુદ્ધિથી આગમોક્ત ઉપદેશ આપવો એ જ લાભકર્તા નથી ? ઉત્તર : વૈદ દર્દી પર ઉપકાર કરી રહ્યો છે આવું ક્યારે કહેવાય? આડેધડ દવા આપે તો કે દર્દીનું શરીર જોઈને દવા આપે તો ? એમ દેશ કાળાદિ જોઈને દવા આપે તો કે એ વગર મનફાવે તેમ દવા આપે તો? બસ, આ જ રીતે ઉપદેશક મહાત્મા ઉપકાર કરી રહ્યા છે આવું ક્યારે કહેવાય ? દેશ કાળ શ્રોતાની ભૂમિકા વગેરેને અનુસરીને દેશના આપે તો જ ને ! “મારે તો ઉપકાર કરવો છે. મારે તો ઉપકાર કરવો છે.” બસ આટલું જ વિચારે, ને દેશ-કાળાદિ કશું ન જુએ એને વૈદ નહીં, પણ ઊંટવૈદ કહેવાય છે. એને વૈદું કરવાનો વાસ્તવિક અધિકાર હોતો જ નથીએમ દેશ કાળાદિ તપાસે નહીં, શ્રોતાની ભૂમિકા કઈ છે ? એની કોઈ પરવા કરે નહીં. ને માત્ર ઉપકાર કરવો છે. ઉપકાર કરવો છે. એવી ધૂન... આવા વક્તાને વાસ્તવિક રીતે ધર્મોપદેશ કરવાનો અધિકાર જ નથી. વાચકડુંગવ શ્રીઉમાસ્વાતિ મહારાજે ધર્મોપદેશકને નિયમા લાભ થવાની જે વાત કરી છે તે જેઓ ખરેખર વક્તા તરીકે અધિકારી છે તેઓ માટે, નહીં કે અધિકારી વક્તા માટે. વળી એમણે “અનુગ્રહબુદ્ધિથી ઉપદેશ આપનારને એમ તો જણાવ્યું જ છે. વાસ્તવિક અનુગ્રહબુદ્ધિમાં શ્રોતાની ભૂમિકા જોવાની વાત આવે જ. એટલે આ બે વાતોમાં કોઈ અસંગતિ કે વિરોધ જેવું નથી, એ સ્પષ્ટ છે.” પ્રશ્ન : હજ એક પ્રશ્ન રહે છે. શ્રી આચારાંગજી (સૂ.૧૦૧) માં જણાવ્યું છે કે જેવી રાજા વગેરે પુણ્યશાળી શ્રોતાઓને દેશના આપવાની હોય છે એવી જ નિધન વગેરે પુણ્યહીનને દેશના આપવાની હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004973
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy