SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ અન , લેખાંક અનુકંપા શું છે? ને ભક્તિ શું છે ? .... અનુકંપાપાત્ર કોણ ? ને ભક્તિપાત્ર કોણ? અનુકંપાદાનનું ફળ શું ને સુપાત્રદાનનું ફળ શું? આમાં વપરીત્ય કરવાનું ફળ શું? આ બધી દાનબત્રીશીમાં આવેલી વાતોનો વિવેક જિનવચનોની દેશના દ્વારા મળી શકે છે, માટે હવે બીજી દેશના દ્વાáિશિકાનું નિરૂપણ ચાલુ કરવામાં આવે દર્દી કોણ છે? એ કાંઈ જોવાનું નહીં, જે દવા એકને આપી તે બધાને દીધે રાખવાની, કારણકે જે દવા હોય તે રોગ મટાડે જ... આવું કોઈ સારો વૈદ ક્યારેય કરે નહીં. એ તો દર્દી કોણ છે? બાળ છે? વૃદ્ધ છે? વગેરે જોશે ને પછી એ મુજબ દવા આપશે. તો જ એ દવા ધાતુનું સામ્ય કરીને રોગ મટાડનારી બને છે. નહીંતર યુવાનને યોગ્ય સારું પણ ઔષધ જો બાળ વગેરેને આપવામાં આવે તો એ એમને ગુણકર નીવડતું નથી. આ જ રીતે, ગીતાર્થ ગુરુભગવંતે “ભગવાનની વાણી છે ને ! એ તો કર્મરોગને દૂર કરવાનો ઉપકાર જ કરશે એમ વિચારી આડેધડ દેશના આપવાની હોતી નથી. કિન્તુ શ્રોતા જેવો બાળ, મધ્યમ કે પંડિત હોય તેને અનુસરીને દેશના આપવી જોઈએ. તો જ એ ભાવધાતુનું સામ્ય કરીને રાગદ્વેષ વગેરે ક્લેશોનો નાશ કરનારી બને છે. તેથી જ મધ્યમ વગેરે કક્ષાના શ્રોતાને યોગ્ય ઊંચી પણ ધર્મદેશના બાળ વગેરે કક્ષાના જીવોને હિતકર બનતી નથી. માટે શ્રોતા જે કક્ષાનો હોય તે કક્ષાને અનુરૂપ દેશના આપવી એ યોગ્ય છે. આમાં જો ગરબડ કરવામાં આવે તો શ્રોતાને લાભ થતો નથી એટલું જ નહીં, ઉપરથી ગેરલાભ પણ થઈ શકે છે. યથાસ્થાન દેશના આપવામાં ન આવે અને શ્રોતાની કક્ષાનું ઉલ્લંઘન કરીને જો દેશના દેવામાં આવે તો બુદ્ધિમાં અપરિણામ કે અતિપરિણામરૂપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004973
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy