SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ બત્રીશી-૧, લેખાંક-૫ અર્થઘટન થયું. પણ જેઓ સાવધાનીપૂર્વક ને પ્રયત્નપૂર્વક અવિધિ - અજયણા ટાળીને પ્રભુપૂજાદિ કરે છે તે અંગે કૂપદષ્ટાન્તનું અર્થઘટન શી રીતે કરશો ? - ઉત્તર : જયણા વગેરે દ્વારા પણ જેનો પરિહાર શક્ય નથી એવી અપરિહાર્ય જીવવિરાધના સિવાય બીજી કોઈ વિરાધના ન થાય એ રીતે જયણાપૂર્વક અને વિધિપૂર્વક) પ્રભુપૂજા વગેરે કરનાર દ્વારા અપરિહાર્ય એવી જે વિરાધના થાય છે તે દ્રવ્યહિંસારૂપ હોય છે, એ દોષરૂપ બનતી નથી. માટે આ રીતે પ્રવર્તનારને દોષ લાગતો નથી. તેથી દોષ દૂર કરવા રૂપે અર્થઘટન પણ થઈ શકતું નથી. એટલે એ અર્થઘટન આ રીતે કરવું કે – જેમ કૂવો ખોદવો એ પોતાને તો જળપ્રાપ્તિ દ્વારા અનેક રીતે ઉપકારક બને જ છે, પણ એમ એ, પાછળ આવનારા મુસાફરોને પણ તૃષાશનાદિ કરવા દ્વારા અનેક રીતે ઉપકારક બને છે. એમ જિનપૂજા - સાધર્મિક વાત્સલ્ય વગેરે પણ પોતાને તો લાભકર્તા છે જ પણ એ જોઈને અનુમોદના કરનારને પણ એ લાભ કર્તા બને છે. આ વાતો પરથી મને એવું પણ ભાસે છે કે, જે સાધર્મિક વાત્સલ્ય વગેરે દેખાદેખીથી માત્ર કીર્તિ વગેરે માટે કરવામાં આવે છે, સાધર્મિકોમાં રહેલા ગુણોના આકર્ષણથી થયેલ શુભભાવોલ્લાસનું તો જેમાં નામનિશાન નથી તથા વિધિ અને જયણાની તો જેમાં ધરાર ઉપેક્ષા જ છે, તેવા સાધર્મિક વાત્સલ્ય વગેરેથી તેના આયોજકને ઉપરોક્ત કોઈ વિશેષ લાભ થતા નથી. આ પ્રમાણે દાનવિધિનો જાણકાર, ધીર, ધર્મનો પ્રભાવક અને યથાશક્તિ દાન દેનારો ભાવુકજીવ મોક્ષસુખને પામે છે. જાતને પૂછો, હું ધન કમાવવામાં નીતિ જાળવું છું ? ખરચવામાં રીતિ રાખું છું ? આપવામાં પ્રીતિ દાખવું છું ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004973
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy