SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે ઉત્તર : શ્રાવકાદિ સુપાત્રની ભક્તિ કરવાના ભાવથી સાધર્મિક વાત્સલ્ય વગેરે જે પ્રશસ્ત પ્રવૃત્તિ કરવામાં આવે છે તેમાં આરંભ (જીવહિંસા) વગેરે રૂપ જે કોઈ દ્રવ્યદોષ લાગે છે તે આગમ પ્રસિદ્ધ કૂપદષ્ટાન્ન મુજબ જયણાશીલ દાતાને પાપબંધ વગેરે રૂપ અનિષ્ટનો જનક બનતો નથી. કારણકે એ સ્વરૂપે સાવ હોવા છતાં અનુબંધથી નિરવદ્ય હોય છે. દેરાસર બનાવવું – પ્રભુપૂજા કરવી. આવા બધા શાસ્ત્રવિહિ અનુષ્ઠાનો વિધિપૂર્વક અને જયણાપૂર્વક કરવામાં જે દ્રવ્યહિંસ (પૃથ્વીકાયાદિ જીવોની હિંસા) થાય છે તે પરમાર્થથી અહિંસારૂપ હોય છે આ વાતનું પ્રતિપાદન “ઉપદેશપદ' ગ્રન્થમાં પદાર્થ – વાક્યર્થ વગેરે વિચારણાના અધિકારમાં કર્યું છે. માટે જ વિધિ અને જયણાપૂર્વક થતી પ્રવૃત્તિમાં જે વ્યવિરાધના થાય છે તે નિર્જરાફલક હોવી કહી છે. શ્રી ઓઘનિર્યુક્તિમાં (તેમજ શ્રીપિંડનિર્યુક્તિમાં) કહ્યું છે કે – સૂત્રમાં કહેલી વિધિથી પરિપૂર્ણ, અધ્યાત્મ વિશોધિથી યુક્ત અને જયણાતત્પર જીવથી જે વિરાધના થાય છે તે નિર્જરાત્મક ફળને આપનારી હોય છે. પ્રશ્ન : આગમપ્રસિદ્ધ જે કૂપદેષ્ટાન્ત છે તે શું છે? ઉત્તરઃ તૃષાતુર, શ્રમિત અને મલિનગાત્રવાળા મુસાફરો જળની શોધમાં હતા. છેવટે એમણે કૂવો ખોદવાનો નિર્ણય કર્યો. અલબત્ એ ખોદવામાં પ્રારંભે એમનો શ્રમ વધ્યો, તૃષા પણ વધી ને કાદવ વગેરેથી ખરડાવાના કારણે મલિનતા પણ વધી. પણ વિપુલ જળરાશિ પ્રાપ્ત થતાં જ આ ત્રણે દૂર થઈ તૃષાશમન - ઠંડક વગેરે તેઓએ મેળવ્યા. એમ, જિનપૂજા, સાધર્મિક વાત્સલ્યમાં જેટલા પ્રમાણમાં દોષ લાગે છે. પણ પ્રભુભક્તિ, સાધર્મિક ભક્તિ વગેરેનો જે શુભભાવ ઉછળે છે એનાથી એ દોષ દૂર થઈને અનેકગણો વધારે અન્ય લાભ થાય છે. પ્રશ્ન : જેઓ અવિધિ - અજયણા કરે છે એમના અંગે આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004973
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy