SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે ભાવના સમજી શકાય છે). સુપાત્રદાનમાં સુપાત્રના આલંબને પોતાના સર્વકાલીન સર્વ દુઃખમય સંસારથી ઉદ્ધારની ભાવના હોય છે. જે પરિવ્રાજક - બાવા - જોગી વગેરેની પરિસ્થિતિ અનુકંપાપાત્ર નથી. ને તેથી અનુકંપાદાન આવશ્યક નથી. વળી ઔચિત્યપાલનનો પણ જેનો પોતાનો આશય નથી. તથા તેઓ સુપાત્ર ન હોવાથી એમના આલંબને સંસારને તરી જવાની ભાવના જાણકાર શ્રાવકને થવી શક્ય નથી. (કદાચ એ થાય તો એ જ વિપરીત બુદ્ધિ રૂપ બનવાથી દોષજનક બની રહે) એટલે, પરિવ્રાજક વગેરેને આપવામાં એ પરિવ્રાજક વગેરેના મિથ્યાત્વ, અસંયમ વગેરે દોષોનું પોષણ નજર સામે તરવરે જ. ને તેમ છતાં શ્રાવક એમને આપે તો (અનુકંપા – ઔચિત્ય ન હોવાથી) એ ભક્તિથી આપ્યું કહેવાય. આ રીતે અપાતું દાન એ ચંદનને બાળીને કોલસા પાડવાની કષ્ટમય આજીવિકા ઊભી કરવા જેવું છે. આશય એ છે કે ચંદનના કોલસા પાડીને કોલસાનો વેપાર કરનાર જે કમાય એના કરતાં ચંદનનો ચંદન તરીકે જ વેપાર કરનારો ઘણું કમાઈ શકે છે અને કોલસા પાડતી વખતની ગરમી – મહેનત વગેરે કષ્ટમાંથી બચી શકે છે. પ્રસ્તુતમાં સુપાત્રમાં દાન કરવા યોગ્ય શુદ્ધ – આહારાદિ એ ચંદન છે. એનો સુપાત્રમાં જ વિનિયોગ કરવો એ ચંદનનો વેપાર છે. એના બદલે એનું કુપાત્રને દાન દેવું એ કોલસા પાડવા જેવું છે. માટે એ ઇચ્છનીય નથી. એ લાભકર્તા નહીં, પણ નુકશાનકર્તા બને છે. પ્રશ્ન : ભક્તિથી અપાતું દાન સુપાત્રને અપાતું હોય તો લાભ જ લાભ છે, અને કુપાત્રને અપાતું હોય તો માત્ર નુકશાન જ છે, એ જાણું. તો હવે એ બતાવો કે પાત્ર તરીકે કોણ કોણ આવે? ને ભક્તિથી એમને આપેલું દાન કયા કારણે કેવું ફળ આપે છે? ઉત્તર : સુપાત્રદાન માટેનાં સુપાત્ર ત્રણ છે, સાધુ ભગવંત, શ્રાવક અને અવિરતસમ્યગ્દષ્ટિ. સાધુ ભગવંત વગેરેમાં સંયમ - દેશવિરતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004973
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy