SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે શંકા - ગોચરીના દોષોના જાણકાર છે, વળી દ્વેષ વગેરે જો નથી, તો તેઓ અશુદ્ધ શા માટે વહોરાવે ? સમાધાન - એમણે જિનવાણી શ્રવણ વગેરે દ્વારા દોષોને જે સાંભળ્યા છે તે કાન સુધી જ.. હૈયે હજુ પહોંચ્યા નથી, અર્થાત્ એમની દોષોની જાણકારી ઉપરછલ્લી છે, હાર્દિક-સચોટ નથી, એવું માનવું પડે. વળી, દોષો સાંભળ્યા છે, જાણ્યા છે, એ વાત સાચી. પણ સાથે સાથે, એમના દિલમાં, “આવા પંચમકાળમાં પણ આ સાધુ ભગવંતો કેવું સંયમ પાળે છે, બ્રહ્મચર્ય પાળે છે... તપ - ત્યાગ – સ્વાધ્યાય વગેરે કરે છે... કેવું ધન્ય જીવન ! ક્યાં આપણે ને ક્યાં તેઓ ? આપણાથી તો આમાંનું કશું થાય એવું નથી....' આવો બધો ખૂબ અહોભાવ હોય છે. એટલે સાધુ ભગવંતોની તો જેટલી થાય એટલી ભક્તિ કરી જ લેવી. એનાથી આપણને ખૂબ લાભ થાય.. આવો ભક્તિભાવ દિલમાં વિલમ્યા કરતો હોય છે. આ ભક્તિભાવ જેટલો જોરદાર, એટલી પ્રચુરનિર્જરા ને શુભઆયુષ્યનો બંધ થાય છે તથા અશુદ્ધ આહારાદિ બનાવવામાં જે કોઈ આરંભાદિ થાય છે ને અજયણા વગેરે થાય છે એના પ્રમાણમાં અલ્પ પાપબંધ થાય છે. હવે પાત્રદાન ચતુર્ભગીના ત્રીજા – ચોથા ભાંગાની વિચારણા “આ સુગુરુ છે. આમની ભક્તિ કરવાથી મારો ભવનિસ્તાર થશે... આવી રીતે અસંયતને અંગે સુપાત્રપણાની બુદ્ધિ કરવી ને પછી એમને ભક્તિપૂર્વક શુદ્ધ કે અશુદ્ધ જે આહારાદિ આપવામાં આવે છે તે અસાધુને સાધુ માનવારૂપ વિપરીત બુદ્ધિના કારણે કર્મબંધ કરાવનારું બને છે. શ્રી ભગવતી સૂત્રમાં પણ કહ્યું છે કે તેવા પ્રકારના અસંયતને – અવિરતને પ્રાસુક કે અમાસુક. એષણીય કે અષણીય આહારાદિ આપનારા શ્રાવકને એકાંતે પાપકર્મ બંધ થાય છે, જરા પણ નિર્જરા થતી નથી. અલબત્ત પ્રાસુક એષણીય આહારાદિમાં જીવહિંસા હોતી નથી, જ્યારે અશુદ્ધ (અમાસુક – અનેષણીય) આપવામાં એ હોય છે ને તેથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004973
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy