SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે સમાધાન - આમાં કોઈ વિરોધ નથી, કારણ કે અમે જે માત્ર લાભ જ થવાની વાત કરી છે તે અમુગ્ધ = જાણકાર શ્રમણોપાસક દાતા માટે કરી છે જ્યારે શ્રીભગવતીસૂત્રમાં જે વાત કરી છે તે અજાણકાર મુગ્ધ જીવ માટે કરી છે. આમાં આશય એ છે કે કેટલાક પાસત્થા વગેરે શિથિલ સાધુઓ મુગ્ધ જીવોને આવું સમજાવતા હોય છે કે જેમ લુબ્ધક = શિકારી માટે ગમે તે રીતે હરણનો પીછો પકડવો (પછી ભલે ને હરણ એનાથી દૂર ભાગી રહ્યું હોય) એ શિકારની પ્રાપ્તિ થવારૂપ લાભ માટે છે, એમ સાધુભગવંતો દોષિત આહારાદિથી ગમે એટલા ભાગવા મથતા હોય, ના પાડતા હોય તો પણ સાધુનો વહોરાવવા માટે પીછો પકડવો એ તમારા (સુપાત્રદાનની પ્રાપ્તિરૂપ) લાભ માટે થાય છે. ગમે તે રીતે (અર્થાત્ નિર્દોષ ઉપલબ્ધ ન હોય તો, દોષિત બનાવીને પણ) સાધુ મહારાજને વહોરાવવું – એમની ભક્તિ કરવી એમાં જ તમારું હિત છે. પાસત્થાઓની આવી સમજાવટથી ભાવિત થયેલા જીવો લુબ્ધક દૃષ્ટાન્તભાવિત મુગ્ધ જીવો કહેવાય છે. આમ મુગ્ધતા અને લુબ્ધક દૃષ્ટાન્તના પ્રભાવે “ગમે તે રીતે વહોરાવવાથી મારું હિત જ થવાનું છે' એવો અભિપ્રાય હોવાથી “આમને વહોરાવું જેથી મારું કલ્યાણ થાય આવો શુભઆશય પેદા થયેલો હોય છે જેના કારણે પ્રચુર કર્મનિર્જરા થાય છે અને એમાં જે કાંઈ અનાવશ્યક આરંભ-સમારંભાદિ થવા.. વગેરે રૂ૫ અવિધિ થાય છે એના કારણે અલ્પ પાપ બંધ થાય છે. શંકા શ્રી ભગવતીસૂત્રમાં, ઉપર જણાવ્યા મુજબ, અશુદ્ધદાન દેનારને પ્રચુરનિર્જરા, અલ્પપાપબંધ થાય છે, એમ કહ્યું છે. જ્યારે ઠાણાંગજીમાં એમ કહ્યું છે કે “સુવિહિત સાધુ ભગવંતને અશુદ્ધ આહારાદિ આપવાથી અલ્પ આયુષ્યનો બંધ થાય છે. તથા, સુંદર સંયમ પાલન કરનારા મહાત્માને હીલના, નિંદા, અપમાન વગેરે કરીને અપ્રીતિકર - અશુદ્ધ આહારાદિ વહોરાવવાથી અશુભદીર્ઘ આયુષ્યનો બંધ થાય છે.” તો આની સંગતિ શી રીતે કરવી ? કારણકે અલ્પ આયુષ્યના બંધની જે વાત કરી છે તેમાં હીલના વગેરે નથી એ તો સમજાય જ છે, ને તેથી એ, ભગવતીજીમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004973
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy