SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ ઉદયમાં આવનાર પુણ્યનો) બંધ થતો હોય છે. બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે પ્રશ્ન ઃ તમે આ વાત શાના આધારે કહો છો ? ઉત્તર ઃ સાધુઓ પ્રાણાતિપાત વિરમણ મહાવ્રત વગેરેનું જે પાલન કરે છે એનાથી આનુષંગિક ફળરૂપે પુણ્યાનુબંધી પુણ્યનો બંધ પણ થાય જ છે જે ઉત્તરોત્તર વધુ અપ્રમત્તતા, વીતરાગતા વગેરેની પ્રાપ્તિ કરાવી આપે એવી સામગ્રીનું સંપાદન કરાવી આપે છે. આવા શુભફળવાળો પુણ્યોદય મોક્ષનો પ્રતિબંધક (વિરોધી) હોતો નથી, કેમકે જેમ અગ્નિ બળતણનો નાશ કરી પછી સ્વયં પણ નષ્ટ થઈ જાય છે તેમ આ પુણ્યાનુબંધી પુણ્ય પણ મોક્ષને અનુકૂળ યોગ્ય સામગ્રીની પ્રાપ્તિ કરાવી આપીને પછી સ્વયં નષ્ટ થઈ જાય છે. એટલે એના કારણે મોક્ષ અટકતો ન હોવાથી એ મુક્તિનું પ્રતિબંધક નથી. માટે એ મુમુક્ષુને શા માટે અનિષ્ટ હોય ? આમાં રહસ્ય એ છે કે જે શાસ્ત્રવિહિત હોય... ને શાસ્ત્રવિહિતપણે કરાયું હોય, એનાથી જે પુણ્યબંધ થાય એ નિર્જરાનો પ્રતિબંધક હોતો નથી. પ્રાસંગિક અનુકંપાદાન પણ શાસ્ત્રવિહિત છે જ. ને તેથી પુણ્યબંધ હોવામાત્રથી એ સાધુઓને દોષજનક નથી. પ્રશ્ન ઃ તમે જ પૂર્વે કહી ગયા છો કે અનુકંપાદાનથી ભોગસુખની પ્રાપ્તિ થાય છે. એટલે સાધુભગવંત અપવાદપદે પણ અનુકંપાદાન આપે તો એનાથી ભવિષ્યમાં ભોગપ્રાપ્તિ થવાની જ, જેના કારણે પાછી ભવપરંપરા ઊભી થવાની. જેમાં સ્વાત્મહિતરૂપ સ્વાર્થ ભળેલો ન હોય, પણ ઉપરથી ભવવૃદ્ધિરૂપ અહિત ભળેલું હોય એવો તો કોઈ પરાર્થ (પરોપકાર) કરવો શાસ્ત્ર દ્વારા અનુજ્ઞાત નથી. એટલે આવા આપવાદિક અનુકંપાદાનથી અન્યને બોધિપ્રાપ્તિ વગેરે થવારૂપ પરોપકાર રહ્યો હોવા છતાં, સાધુને તો ભોગપ્રાપ્તિ દ્વારા ભવપરંપરાવૃદ્ધિરૂપ અહિત જ થતું હોઈ એ શી રીતે ઇષ્ટ બને ? ઉત્તર : ‘આ આપવાદિક અનુકંપાદાનથી પુણ્યબંધ દ્વારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004973
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy