SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે મિથ્યાત્વીજીવોને ‘મહારાજ નાહકનું શરીરને કષ્ટ આપી રહ્યા છે.. વગેરે રૂપે અપ્રીતિ-દુર્ભાવ થતા હોય છે. પણ છતાં, એ મહાત્મા તપશ્ચર્યા ચાલુ રાખે છે ને તો પણ પરપીડાજનનના કોઈ દોષથી ખરડાતા નથી, કારણ કે “એ મિથ્યાત્વીજીવને પીડા થાઓ” એવો એ મહાત્માનો કોઈ આશય હોતો નથી. એમ પ્રસ્તુતમાં, ભિખારીને જે પીડા થાય છે તે પોતાની બુદ્ધિ અવળી હોવાના કારણે થાય છે. સાધુઓને કાંઈ “તેઓને પીડા થાઓ” એવો કોઈ સંક્લિષ્ટ ભાવ હોતો નથી. તો એમને શું દોષ લાગવાનો? ઉત્તર : સાધુઓની દશવિધ સામાચારીમાં પ્રથમ ઈચ્છાકાર સામાચારી છે. એવું કોઈ વિશેષકારણ ઊભું થયું હોય ને તેથી નાના સાધુને પોતાનું કંઈક કામ ભળાવવાનું હોય તો “તમારી ઈચ્છાપૂર્વક મારું આ કામ કરી આપશો ?” આ રીતે ઇચ્છાકાર કરવાનો હોય છે. પણ “મારું આટલું કામ કરી આપો” એમ સીધું કહેવાનું હોતું નથી. કારણ કે એ રીતે કહેવામાં આવે તો સામા નાના મહાત્માને કદાચ આવી શંકા પણ પડી શકે કે મારી પાસે ઓર્ડરથી કે ધાકધમકીથી (આજ્ઞાથી કે બળાભિયોગથી) કામ કરાવવા માગતા હશે ?” આવી શંકાથી એમના દિલમાં કંઈક પણ વ્યથા થાય જ એ સમજાય એવું છે. એટલે આવી શંકાજન્ય પીડાની સંભાવના પણ ન રહે એ માટે ઇચ્છાકાર કરવાની સામાચારી જ્ઞાનીઓએ જણાવી છે. આના પરથી એ સૂચન થાય છે કે જેનાથી બીજાઓની અપ્રીતિનો – પીડાનો પરિહાર થઈ શકે એવો યોગ્ય ઉપાય જો વિદ્યમાન હોય તો સાધુઓ એ ઉપાયને અજમાવીને તેઓની પીડાનો પરિહાર કરવો જ જોઈએ, એવી જ્ઞાનીઓની આજ્ઞા છે. એટલે ભૂખ્યાઓની એ અપ્રીતિનો પરિહાર ન કરવામાં આ આજ્ઞાને બાધા તો પહોંચે જ છે. પ્રશ્ન : આમાં ભૂખ્યાની પીડાનો પરિહાર જે નથી હોતો એમાં સાધુના પોતાના રાગ-દ્વેષ કોઈ ભાગ ભજવતા નથી, તો એમને શા માટે દોષ લાગે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004973
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy