SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે પ્રશ્ન : શ્રી સૂયગડાંગના પ્રથમશ્રુતસ્કંધના અગ્યારમા માર્ગ અધ્યયનની ૨૦મી ગાથામાં કહ્યું છે કે ‘(અસંયતને અપાતા) દાનની (સાધુઓએ) પ્રશંસા ન કરવી, કારણ કે એ પ્રશંસા કરવામાં એ દાનમાં થનારા પ્રાણીવધની અનુમોદના થાય છે. વળી, ‘દાન માટે ઘણો આરંભ-સમારંભ કરવો પડે છે' એમ વિચારી એનો નિષેધ પણ ન કરવો, કારણ કે એમ નિષેધ કરવામાં, એ દાન પર નભનારા જીવોની આજીવિકાનો ઉચ્છેદ થઈ જાય છે.' આમ, આ સૂત્રમાં અસંયતને અપાતા દાનની પ્રશંસાનો પણ નિષેધ કર્યો છે, તો એને દાન આપવાની તો વાત જ ક્યાં રહી ? ૨૮ ઉત્તર : કોઈપણ શાસ્ત્રવચનનો માત્ર શબ્દાર્થ ન પકડવો જોઈએ... પણ એનો ઐદંપર્યાર્થ પકડવો જોઈએ. તમે જે કહી રહ્યા છો એ માત્ર શબ્દાર્થ રૂપ છે. ને તેથી યોગ્ય નથી. નહીંતર તો, આમાં દાનની પ્રશંસા ને દાનનો નિષેધ આ બંને કરવા નહીં એવું જણાવ્યું હોવાથી એનો અર્થ એ થાય કે દાન અંગે કશું બોલવું જ નહીં. પણ આ અર્થ બરાબર તો નથી જ, કારણ કે દાન, શીલ, તપ અને ભાવ એ ચારેય પ્રકારના ધર્મના ઉપદેશ આપવાની વાત સઘળાં આસ્તિક શાસ્ત્રોમાં કરેલી છે. માટે શબ્દાર્થને છોડીને ઐદંપર્યાર્થ સુધી જવું જોઈએ....ને ઐદપર્યાર્થ આ છે કે...આગમમાં જે દાનનો નિષેધ કર્યો છે તેની પ્રશંસા નહીં ક૨વી... અને આગમમાં જે દાનનું વિધાન કર્યું છે, એની ના નહીં પાડવી, પ્રસ્તુતમાં, આપવાદિક અનુકંપાદાન પણ વિહિત તો છે જ. માટે એની પ્રશંસામાં કે એના વિધાનમાં કોઈ દોષ લાગતો નથી. अणुकंपापयाणेण रेहइ धम्मिअत्तणं । जगडुस्सेह दिट्टंतो, दुब्भिक्खे दाणदाइणो ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004973
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy