SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ બત્રીશી-૧, લેખાંક-૩ ૨૭ આ ઔત્સર્ગિક વિધાન-નિષેધ કહેવાય છે. એ પછી, કોઈ વિશેષ પ્રકારની પરિસ્થિતિને અનુલક્ષીને, આ વિધાન-નિષેધ કરતાં અલગ પ્રકારના વિધાન-નિષેધ પણ તેઓએ કરેલા જોવા મળે છે. આ અપવાદિક વિધાન-નિષેધ કહેવાય છે. એટલે આપવાદિક વિધાનાદિ ઔત્સર્ગિક વિધાનાદિને ઉપરવટ જઈને કરવામાં આવ્યા હોય છે એ જણાય છે. અર્થાત્ ઔત્સર્ગિક વિધાનાદિ વિદ્યમાન હોવા છતાં પરિસ્થિતિ જો વિશેષ પ્રકારની છે તો એનો નિષેધ પણ જિનાજ્ઞા જ છે. માટે ‘અપવાદ ઉત્સર્ગને બાધિત કરે છે' એમ કહેવાય છે. અથવા સામાન્યપરિસ્થિતિ કરતાં વિશેષ પરિસ્થિતિ એ બળવત્તર નિમિત્તરૂપ છે. એટલે સામાન્ય પરિસ્થિતિના કાયદારૂપ ઉત્સર્ગ કરતાં વિશેષ પરિસ્થિતિના કાયદારૂપ અપવાદ બળવત્તર છે અને તેથી એ ઉત્સર્ગને બાધિત કરે છે. માટે, ‘ગૃહસ્થની વૈયાવચ્ચ ન કરવી' એવી ઔત્સર્ગિક વાત આ આપવાદિક અનુકંપાદાનનો બાધ કરતી નથી. સામાન્યથી કોઈ ગૃહસ્થ સાધુભગવંત પાસે આવે ને કહે કે ‘ગુરુદેવ ! મને બહુ પિત્ત થાય છે. અથવા સંડાસ થઈ ગયા છે..... વગેરે’ તો મહાત્મા કાંઈ એને દવા આપતા નથી કે દવાનું નામ સુદ્ધાં કહેતા નથી. પણ એ જ શ્રાવકે જો અઠ્ઠાઈ કે એવી કોઈ તપસ્યા કરી હોય ને આવી તકલીફની ફરિયાદ લઈને આવે તો સાધુ ભગવંતો એને અણાહારી દવાનું નામ સૂચવે છે કે ગૃહસ્થો થકી કોઈ એવી દવા ઉપાશ્રયમાં પડી હોય તો એને આપે પણ છે. આમાં આવી આપવાદિક અનુકંપા માની શકાય છે. આમાં, શ્રાવકે પોતાનું પચ્ચક્ખાણ ભાંગવું ન પડે, પોતાની રોજિંદી આવશ્યકાદિ ક્રિયાઓ ચૂકી જવી ન પડે, ભારે સંક્લેશ કે અસમાધિના ભોગ બનવું ન પડે, તપમાં સમાધિ ને શાતા જળવાઈ રહે, ને તેથી ભવિષ્યમાં પણ નવીનવી તપશ્ચર્યા કરવાનો ઉલ્લાસ બન્યો રહે-વધતો રહે..... આવો બધો વિશુદ્ધ આશય હોવો વિચારી શકાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004973
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy