SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ બત્રીશી-૧, લેખાંક-૨ પ્રશ્ન : શુભભાવ ભલે ને ભળ્યો... એટલા માત્રથી દાનશાળાદિની ક્રિયા થોડી બદલાઈ જાય છે ? જેથી એ અનુકંપાનું ફળ આપી શકે ? ઉત્તર : દાતાને જે ફળ મળે છે તેમાં દાનાદિ ક્રિયા ગૌણ હોય છે ને દાતાનો ભાવ જ મુખ્ય હોય છે, ક્રિયા ફળ પ્રત્યે ગૌણ હોય છે. એટલે જ જો એવો શુભભાવ ભળતો ન હોય તો જિનપૂજા વગેરે પણ નિશ્ચયનયના મતે અનુકંપાયુક્ત બનતા નથી. પ્રશ્ન : શાસ્ત્રોમાં તો પાત્ર ભેદે ફળભેદ કહ્યો છે. અર્થાત્ ફળ કેવું મળશે એના આધાર તરીકે કેવા પાત્રને એ અપાઈ રહ્યું છે, એને મુખ્ય કર્યું છે. શ્રજિનેશ્વરદેવો રતપાત્ર છે. એમને ચરણે જે ધરવામાં આવે છે તેનું ઉત્કૃષ્ટ ફળ મળે છે. એમ ગણધર ભગવંતો સુવર્ણપાત્ર છે. સાધુ - સાધ્વીજી ભગવંતો રજતપાત્ર છે અને શ્રાવક-શ્રાવિકા કાંસ્યપાત્ર છે. એટલે કે ગણધરભગવંતો વગેરેને આપેલા દાનનું ફળ; શ્રજિનેશ્વર દેવોને આપેલા દાનના ફળ કરતાં ઉત્તરોત્તર ઓછું - ઓછું મળે છે. ને દીન-હીનને આપેલા દાનનું તો આ બધા કરતાં સૌથી ઓછું ફળ મળે છે. આમાં દાતાના ભાવની તો કોઈ વાત કરી નથી ને તમે તો કહો છો કે ફળ મળવામાં દાતાનો ભાવ જ મુખ્ય છે.... આવું કેમ ? ઉત્તર : શ્રીજિનેશ્વરદેવ વગેરે રૂપ પાત્ર બદલાય તો દાનનું ફળ બદલાઈ જાય આવું જે શાસ્ત્રમાં કહ્યું છે તે વ્યવહારનયને અનુસરીને કહ્યું છે, “દાતાનો જેવો ભાવ એવું ફળ” એમ અમે ભાવભેદે ફળભેદ જે અહીં કહીએ છીએ તે નિશ્ચયનયને અનુસરીને કહીએ છીએ, માટે કોઈ વાંધો – વિરોધ નથી. નિશ્ચયનય તો એ જ કહે છે કે દાન લેનાર કોણ છે ? એ ગૌણ છે, દાતાનો ભાવ કેવો છે ? એ જ મુખ્ય છે. દાતાનો ભાવ જેટલો વધારે શુભ, એટલે એને મળનારું ફળ અધિક. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004973
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy