SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે કે “જે જીવ એક પણ દુઃખપીડિત જીવને જૈનધર્મ પમાડે છે તે સકળ લોકમાં અમારીની ઘોષણા કરે છે.” આ વાત યુક્તિ સંગત પણ છે જ. કારણકે જે આજે જૈનધર્મ પામ્યો, તે આગળ વધીને ક્રમશઃ સર્વવિરતિ પણ પામવાનો જ. અને સર્વવિરતિ એટલે જ સકળ લોકમાં રહેલા સર્વ જીવોને અભયદાનની ઘોષણા. ભૂકંપ, પુર, દુષ્કાળ વગેરે કારણે લોકો નિરાધાર બન્યા હોય.. ભૂખે ટળવળતા હોય.... એ વખતે જૈનો દાનશાળા ખોલે તો સહજ છે કે લોકો જૈનશાસનની પ્રશંસા કરે જ. “ઓહોહો... જૈનોની કેવી ઉદારતા. એમના જૈનધર્મે કેવી દયા એમને શીખવી છે. ધન્ય ધન્ય...” આવા દિલમાં અનુભવાતી અને શબ્દો દ્વારા બહાર આવતી પ્રશંસા એ ધર્મપ્રાપ્તિનું બીજ છે. આમાં પણ કારણ એ છે કે અનાદિકાળથી તો જીવ પાપનો જ રસિક હતો. પાપની જ પ્રીત ધરાવતો હતો, ને તેથી ધર્મથી બિલકુલ પરામુખ હતો.. હવે ધર્મની પ્રીતિ નિર્માણ થઈ એ એને ધર્મસન્મુખ કરે છે, જે કાળાન્તરે ધર્મની પ્રાપ્તિ કરાવ્યા વિના રહેતી નથી. અલબત્ત આ કારણિક દાનશાળા વગેરેમાં પણ પૃથ્વીકાયાદિ જીવોનો આરંભ સમારંભ છે જ. છતાં એમાં જેટલા જીવોને જેવી પીડા પહોંચે છે એના કરતાં કાળાન્તરે સર્વજીવોને અભયદાન મળવારૂપે મરણ સુધીના દુઃખમાંથી જે ઉદ્ધાર થાય છે તે અધિક દુઃખમાંથી ઉદ્ધાર રૂપ હોવાથી “અનુકંપા હોવામાં કોઈ વાંધો નથી. એટલે જિનપૂજાને અંગે જેમ કહ્યું એમ કારણિક દાનશાળા - વાવડી વગેરે અંગે પણ, “આ કાર્યો દ્વારા અજૈનોના દિલમાં જૈનધર્મ માટે પ્રશંસા - પ્રીતિ નિર્માણ થાઓ, એના દ્વારા એમને જૈનધર્મની પ્રાપ્તિ થાઓ ને પરિણામે એમના દ્વારા બધા જીવોને અભયદાન મળો” આવો શુભભાવ ભળવાથી એ અનુકંપારૂપ બને છે, હિતકર બને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004973
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy