SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે પ્રશ્ન : જો દાતાને તત્કાળ મળનારું પુણ્યબંધરૂપ ફળ, અને કાળાન્તરે મળનારું અભ્યદયરૂપ ફળ. આ બંને એના ભાવને અનુસાર જ ઓછું કે અધિક મળે છે તો વ્યવહારનય કેમ પાત્રને અનુસાર ફળ ઓછું વડું મળવાનું કહે છે ? ઉત્તર : સામાન્યથી દીન હનને આપવામાં જે ભાવ આવે એના કરતાં શ્રાવક-શ્રાવિકાની ભક્તિ કરવામાં ઘણું ખરું ભાવ વધુ શુભ આવે જ છે.. એમ એના કરતાં પણ ઉત્તરોત્તર ગણધરભગવંતો કે શ્રીતીર્થકર ભગવંતોને દાન આપવામાં ભાવ વધુ ને વધુ ઉછાળા મારે જ છે. એટલે મોટે ભાગે શ્રીજિનેશ્વરદેવોને ચરણે ધરવાનું જ વધુ ફળ મળતું હોય છે. વળી, ભાવો તો અતીન્દ્રિય છે. વ્યવહારમાં જાણી શકાતા નથી. એટલે મોટાભાગની વાસ્તવિકતાને નજરમાં રાખીને વ્યવહારનય પાત્રભેદે ફળભેદ કહે છે તે જાણવું. પ્રશ્ન : શુભભાવ ભળે તો જ જિનપૂજા અનુકંપાયુક્ત બને છે, એમ તમે કહ્યું. વળી દાનશાળાદિ પણ એ રીતે જ અનુકંપાયુક્ત બને છે. તો, શ્રાવકો માટે જિનપૂજા એ રોજિંદુ કર્તવ્ય અને દાનશાળાદિ તો એવું પ્રબળ કારણ હોય તો જ કર્તવ્ય. આવો ભેદ કેમ ? ઉત્તર : એટલા માટે કે જિનપૂજામાં શુભભાવ ભળવો રોજ શક્ય છે. દાનશાળાદિમાં નહીં. જ્યારે સુકાળ હોય, લોકોને સહજ રીતે ભોજન – પાણી વગેરે સુલભ હોય. કોઈ ભૂખ્યું - તરસ્યું સૂતું ન હોય... આવા અવસરે કોઈ દાનશાળા ખોલે તો પણ “ઓહોહો... જૈનો કેવા દયાળુ છે...” વગેરે રૂપે જૈનેતરોને જૈનશાસનની અનુમોદના થાય, પરિણામે જૈન શાસનની ને સર્વવિરતિની પ્રાપ્તિ થાય... વગેરે સંભાવના લગભગ છે નહીં અને તેથી એવા અવસરે કરેલા દાનશાળા વગેરે અનુકંપાયુક્ત બની શકતા નથી. એ તો દુકાળ વગેરે કોઈપણ એવું કારણ હોય કે જેના કારણે લોકોને ભોજન - પાણીનાં ફાંફા હોય. ઘણાને ભૂખ્યા - તરસ્યાં સૂઈ રહેવાના દા'ડા પણ આવ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004973
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy