SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ લેખાંક દુઃખિયારા જીવનો દુ:ખમાંથી | ઉદ્ધાર કરવો એ અનુકંપા છે, એ ગયા લેખમાં આપણે જોઈ ગયા. પ્રશ્ન : એક કિશોરને સંગ્રહણીનો રોગ થયેલો છે. દૂધ - દૂધપાક વગેરે ખાવાની વૈદે સ્પષ્ટ ના પાડી છે. ઘરમાં કોઈક પ્રસંગે જમણવારમાં દૂધપાક બનાવેલો છે. પણ મા ખાવા નથી આપતી, માટે એ ઘણો દુઃખી થયેલો છે. એના દુઃખને દૂર કરવા માટે એનો મોટોભાઈ એને દૂધપાક આપે તો એ પણ શું અનુકંપા કહેવાશે? કારણકે આમાં પણ એનું દુઃખ દૂર કરવાની બુદ્ધિ છે ને એ દુઃખ દૂધપાક આપવાથી દૂર પણ થાય જ છે. ઉત્તર : ના, આને અનુકંપા તો નહીં જ કહેવાય, ઉપરથી અવિવેક કહેવાય, એ વાત કોઈપણ સુજ્ઞ સ્વીકારશે. પ્રશ્ન : પણ તમે જે વ્યાખ્યા આપી છે એને અનુસરીને તો આ અનુકંપા રૂપ બને જ છે ને ? ઉત્તર : હા, પણ એટલે જ એ વ્યાખ્યામાં સુધારો જરૂરી છે. જે દુઃખ નિવારવું છે એના કરતાં અધિક દુઃખ પેદા ન થઈ જાય એ રીતે એ દુઃખ નિવારવું એ અનુકંપા છે. એ કિશોરને તો દૂધપાકથી સંગ્રહણીનો રોગ વકરવાથી દુઃખ અનેક ગણું વધી જવાનું છે, માટે અનુકંપા રૂપ શી રીતે બને ? પ્રશ્ન પણ તો શું એ ટળવળતો હોય... રોતો હોય તો પણ એવું દુઃખ દૂર ન કરવું ? ઉત્તરઃ ના, એવું નહીં. એને માટે જે પથ્ય હોય એવું ભોજન આપીને એનું ભૂખનું દુઃખ દૂર કરવું જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004973
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy