SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ - - બત્રીશી-૧, લેખાંક-૧ કરું તો મારામાં પણ સંયમ વગેરે ગુણો આવે.. મારું આત્મકલ્યાણ થાય. મારાં પાપોનો નાશ થાય.. આવી સ્વઉદ્ધારની બુદ્ધિથી સુપાત્રને જે દાન અપાય તે સુપાત્રદાન. એટલે સાધુભગવંતોને, એમના ભૂખ વગેરે દુઃખો જોઈને દ્રવીને, એ દુઃખ દૂર કરવાના ઉદ્દેશથી જો દાન અપાય તો એ અનુકંપાદાન બને. (હા, જો એ વખતે ભેગી હનપણાની બુદ્ધિ પણ આવે તો અતિચાર લાગે જ એ સ્પષ્ટ છે.) અને જો, સાધુ ભગવંતમાં રહેલા સંયમ વગેરે ગુણોને જોઈને, “આ ગુણો મારામાં પણ આવે એવા ઉદેશથી દાન અપાય તો એ સુપાત્રદાન બને. પ્રશ્નઃ પણ જેઓ સુપાત્ર અંગે ભક્તિ જ માને છે, અનુકંપા માનતા નથી, એમના મતે તો, અષ્ટક પ્રકરણમાં જે કહ્યું છે કે આચાર્ય ભગવંતની અનુકંપા કરવાથી મહાભાગ્યશાળી એવા આખા ગચ્છની અનુકંપા થાય છે” તે અસંગત જ ઠરી જશે ને ? ઉત્તર : ના, એ વખતે આ અનુકંપા શબ્દનો અર્થ દયાકરૂણા ન કરતાં “ભક્તિ કરવો. એટલે કે “આચાર્ય ભગવંતની ભક્તિ કરવાથી આખા ગચ્છની ભક્તિ થઈ જાય છે” એવો એ વાક્યનો અર્થ કરવો, તેથી કશી અસંગતિ રહેશે નહીં. પ્રશ્ન:પણ, આ રીતે “અનુકંપા” શબ્દનો અર્થ “ભક્તિ કરી શકાય? ઉત્તર : હા, કરી શકાય. સર્વશાસ્ત્રશિરોમણિ શ્રીકલ્પસૂત્રના ચોથા વ્યાખ્યાનમાં વપરાયેલા “અનુકંપા શબ્દનો “ભક્તિ અર્થ કરવામાં આવે છે. શ્રી મહાવીર પ્રભુ ત્રિશલામાતાની કુક્ષિમાં સ્થિર જે થઈ ગયા તે માટે માયાળુપણાઈ આવો શબ્દપ્રયોગ કર્યો છે. અર્થાત્ માતા પ્રત્યેની અનુકંપાથી પ્રભું સ્થિર થઈ ગયા. આમાં, માતા પ્રત્યે કાંઈ દયા ન હોય. પણ ભક્તિ હોય એ સ્પષ્ટ છે એટલે અનુકંપા' શબ્દનો અર્થ ભક્તિ કરવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004973
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy