SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે ખ્યાલ આપવા માટે સૌ પ્રથમ એની આગળ સર્વવિરતિના આચાર વગેરેનું વર્ણન કરે. આ સાંભળવા પર એના દિલમાં કેવા ભાવો જાગે છે ? એ તપાસે. એમાં એની વાતો પરથી જો એમ લાગે કે વિષય સુખની પિપાસા, સાંસારિક જવાબદારી વગેરેના કારણે હજુ સર્વવિરતિના સ્વીકાર માટે સમર્થ નથી. તો પછી શ્રાવકધર્મનું વર્ણન કરે. ને ફરીથી એના પરિણામો તપાસે. એમ ક્રમશઃ સમ્યગદર્શન અને માર્ગાનુસારીના આચારોનું વર્ણન કરે. શ્રી બૃહત્કલ્પમાં ઉપદેશનો સર્વવિરતિ-દેશવિરતિ-સમ્યકત્વ-માર્ગાનુસારિતા.. આવો જે ઉપદેશક્રમ કહ્યો છે તે આ અપેક્ષાએ કહ્યો છે, એ જાણવું. બાકી તો વક્તાને દેશ-કાળ-પુરુષ વગેરેનો જેવો નિર્ણય થાય એ પ્રમાણે દેશના અંગે ઉપરથી નીચે જવાની કે નીચેથી ઉપર જવાની.. બંને પદ્ધતિ ઉચિત લાગે છે. આમાં એકાન્ત નથી. જેમ છેદસૂત્રોમાં શૈક્ષક (નવા સાધુ), ગીતાર્થ, સ્થવિર, ઉપાધ્યાય અને આચાર્ય. આ બધાએ સમાન દોષ સેવ્યો હોય તો શૈક્ષકને ઓછું... ગીતાર્થને વધારે.. વિરને એના કરતાં પણ વધારે... ઉપાધ્યાયને વળી એનાથી વધારે... ને આચાર્યને સૌથી વધારે પ્રાયશ્ચિત્ત.... આ ક્રમ બતાવ્યા પછી તરત જ ઘણે સ્થળે મતાંતર તરીકે નહીં, પણ જુદી પદ્ધતિ તરીકે શૈક્ષકને સૌથી વધુ. ગીતાર્થને એના કરતાં ઓછું.. એમ ઉત્તરોત્તર ઓછું પ્રાયશ્ચિત્ત આપવાની પદ્ધતિ પણ દેખાડેલી છે. આમાં પુરુષ-દેશ-કાળને નજરમાં લઈને કઈ પદ્ધતિ અપનાવવી એનો નિર્ણય પ્રાયશ્ચિત્ત દાતાએ કરવાનો હોય છે એમ પ્રસ્તુતમાં પણ જાણવું. ધારોકે વક્તાને એવી જાણકારી મળી ગઈ છે કે શ્રોતા સંપૂર્ણતયા રાત્રી ભોજન ત્યાગ કરી શકે એવી પરિસ્થિતિમાં નથી. તેમ છતાં, વક્તાને એવી પણ પ્રતીતિ થયેલી છે કે શ્રોતા દાક્ષિણ્યગુણવાળો છે ને તેથી, “મહારાજ સાહેબ ઘણું ઘણું કહે છે તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004973
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy