SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ બત્રીશી-૨, લેખાંક-૧૪ ૧૩૯ કેટલી ના પાડવી ? બધી વાતનો ઇનકાર કર્યા કરવો સારો ન કહેવાય. કાંઈ નહીં, થોડો પુરુષાર્થ ફોરવીને-કષ્ટ વેઠીને પણ આટલું તો કરીશ જ.” આવા અભિપ્રાયથી પણ આંશિક ત્યાગ કરવા કટિબદ્ધ બનશે, એ રીતે ત્યાગ અપનાવશે, બરાબર પાળશે ને એ પાલનના પ્રભાવે આગળ વધશે. આવી સંભાવના ભાસી હોય તો સર્વથા ત્યાગની વાતથી પ્રારંભ કરે ને ક્રમશઃ નીચે ઉતરે. પણ આવી જ પરિસ્થિતિવાળા શ્રોતા માટે જો એવી પ્રતીતિ થઈ હોય કે એ એવા દાક્ષિણ્યવાળો નથી ને આવી વિચારધારાવાળો છે કે – મહારાજ સાહેબ તો બધી અશક્ય વાત કરે છે. મોટી મોટી વાત કરે છે. આપણું કામ નહીં.. આપણે કશું કરી શકવાના તો છીએ નહીં. નાહક મહારાજ સાહેબને ઉપદેશ આપવાનું કષ્ટ આપવું.... એમનો સમય બગાડવો. એના કરતાં આપણે ઉભા જ થઈ જાવ. વગેરે. તો નીચેથી જ શરૂઆત કરે. ને જેમ જેમ નીચે નીચેના સરળ નિયમો અપનાવવાનો અભિપ્રાય ઘડાતો જાય તેમ તેમ ઉપર ખેંચતા જાય. પ્રશ્ન : પણ નીચેનો નિયમ લેવાનો અભિપ્રાય ઘડાઈ જાય તો પછી ઉપરનો નિયમ તો એ શી રીતે લેવાનો ? ઉત્તર : ઘણીવાર આ ઉછામણી જેવું હોય છે. ક્યારેક કોઈક ભાવુક ઘરેથી પાંચ હજાર સુધી લાભ લેવાની ભાવના કરીને આવ્યો હોય છે ને ત્યાં સુધી તો એ ચઢાવો બોલે પણ છે જ. પણ એના પાંચ હજાર બોલવા પર સામી પાર્ટી જો સીધા દસ હજાર બોલી દે તો આ ભાવુક અટકી જ જાય છે, આગળ વધતો નથી. પણ સામી પાર્ટી પાંચ હજારની સામે પપ00 બોલે.... તો આ ભાવુક થોડું મનને સમજાવીને ૬૦૦૦ બોલી પણ દે છે. વળી સામી પાર્ટી ૬૫૦૦ બોંલે છે. આ ભાવુકને પણ કોઈ પ્રેરણા કરે છે કે તમારે ૬૦૦૦ તો ખરચવા જ હતા. હજાર વધારે. પણ આવો લાભ ક્યાં ફરીથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004973
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy