SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ બાળ વગેરે ભૂમિકાનો અને લેિખાંક અપુનર્બન્ધક વગેરે ભૂમિકાનો ભેગો વિચાર ગયા લેખમાં આપણે કરી રહ્યા ૧૪ | હતા. હવે આ લેખમાં એ જ ' વિચારણાને આગળ ધપાવીએ. પ્રસ્તુત ગ્રન્થમાં અને ષોડશક ગ્રન્થમાં બાળજીવને લોચ, ભૂમિશયન વગેરે બાહ્ય આચારની મુખ્યતાવાળી દેશના આપવાનું જે કહ્યું છે તે એક દિગ્દર્શનરૂપ જાણવું જોઈએ. અર્થાત્ એને અનુસરીને સામા જીવની યોગ્યતાનુસાર દેશના આપવી જોઈએ. બધાને આ જ રીતની દેશના આપવી એવો એકાન્ત ન બાંધવો. આશય એ છે કે જ્ઞાનાવરણના ક્ષયોપશમની અપેક્ષાએ સામો જીવ “બાળ” છે. પણ મોહનીયના ક્ષયોપશમની અપેક્ષાએ તો એની અલગ અલગ ભૂમિકા હોય શકે છે ને એ ભૂમિકા બદલાય એટલે પણ દેશનાનું સ્વરૂપ બદલાઈ જાય છે. કારણ કે દેશના કેવી આપવી ? એમાં બંને પ્રકારની ભૂમિકાઓ ભાગ ભજવે છે. એટલે, બાળજીવ જો સર્વવિરતિ પામવાને ઉચિત ભૂમિકાવાળો હોય તો એને સંયમ જીવનના લોચ વગેરે બાહ્ય આચારોની દેશના આપવી જોઈએ. પણ જો એ દેશવિરતિ પામવાની ભૂમિકાવાળો હોય તો એને શ્રાવકજીવનના આચારોની દેશના આપવી જોઈએ. એમ સમ્યકત્વ કે અપુનર્બન્ધક (માર્ગાનુસારીપણું) પામવાની ભૂમિકાવાળા બાળ” શ્રોતાને ક્રમશઃ સમ્યત્વઉચિત વ્યવહારોની-આચારોની કે માર્ગાનુસારીના ૩૫ ગુણો-વ્યવહારોની દેશના આપવી જોઈએ. આ જ રીતે મધ્યમજીવ જો સર્વવિરતિ પામવાને ઉચિત હોય તો એને સંયમની વિશુદ્ધિ, આચારપાલન વગેરે અંગે ગ્રન્થોમાં જે સૂક્ષ્મકાળજીઓ દર્શાવેલી છે એનું વર્ણન કરવું જોઈએ. આ જ પ્રમાણે દેશવિરતિ વગેરેને ઉચિત મધ્યમજીવને શ્રાવકપણામાં જાળવવાની જયણા વગેરે આચારપાલનની સૂક્ષ્મકાળજીઓનું વર્ણન કરવું જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004973
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy