SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે એમ, પંડિતજીવ જો સર્વવિરતિ પામવાને ઉચિત હોય તો એને સંયમજીવનના આચારોનું સૂક્ષ્મ નિરૂપણ કરવા સાથે એમાં કેવી પરિણતિ વણાયેલી હોવી જોઈએ તેનું તથા એમાં મૂળભૂત સિદ્ધાંતો કેવી રીતે વણાયેલા હોય છે એનું વર્ણન કરવું જોઈએ. એ જ રીતે દેશવિરતિ વગેરેની ભૂમિકા માટે તે તેના આચારોનું એ પ્રમાણે વર્ણન કરવું જોઈએ અને આ દરેકમાં “આજ્ઞા ધર્મ સાર:' આ પરમ રહસ્ય શી રીતે રહેલું છે એ સમજાવવું જોઈએ. આ બધી સામા જીવને વ્રત - નિયમમાં જોડવાનો પ્રસ્તાવ હોય તેને નજરમાં રાખીને વાત કરી છે. પણ જ્યારે એ રીતે એને તે તે ધર્મમાં જોડવાની વાત ન હોય, પણ માત્ર જાણકારી આપવાની ગણતરી હોય ત્યારે આમાં થોડો ફેરફાર પણ સંભવે છે પ્રશ્ન : જો વ્રતનિયમમાં જોડવાનો નથી, તો જાણકારી આપવાનું શું પ્રયોજન ? ઉત્તર : જાણકારી આપવા દ્વારા એના દિલમાં ધર્મમાર્ગનું આકર્ષણ પેદા કરવું, સ્થિર કરવું, વધારવું ને પરિણામે એને પણ ધર્મમાર્ગમાં જોડવો... આગળ વધારવો... આ બધું પ્રયોજન હોય છે. આવું પ્રયોજન હોય ત્યારે અપુનર્બન્ધક ભૂમિકાવાળા જીવને પણ સર્વવિરતિના આચારો વગેરેનું વર્ણન કરી શકાય છે. એનાથી એને સર્વવિરતિ વગેરે પ્રત્યે આદર - બહુમાન પ્રગટે છે, ભવિષ્ય માટે એક લક્ષ્ય બંધાય છે. આવો પ્રસ્તાવ હોય ત્યારે બાળજીવો સમક્ષ બાહ્ય આચારોના વર્ણન સાથે એનું પાલન કરવાનું પણ જે જણાવ્યું છે એના પરથી એ સૂચન મળે છે કે એવી પરિસ્થિતિના કારણે જે જે આચારોનું પાલન ઘણું ખરું ન થતું હોય તે તે આચારોનું બાળજીવો સમક્ષ વર્ણન કરવું ન જોઈએ. જેમકે જે ગામમાં શ્રાવકોના ઘર રહ્યા નથી. રસોડા ચાલુ છે. અથવા આગળ પાછળના ગામેથી ગોચરીની વ્યવસ્થા થાય છે. તો આવા સ્થળોએ “સાધુ ભગવંતો માટે જ જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004973
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy