SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે પામેલા હોતા નથી. બહુ બહુ તો માત્ર સ્થળ હિંસાથી જ વિરામ પામેલા હોય છે. એટલે પોતાના માટે તો પૃથ્વીકાય વગેરે સ્થાવરજીવોનો આરંભ તેઓ કરતાં જ હોય છે. અને એટલે જ, સ્નાનાદિ દરમ્યાન કાચા પાણીનો સ્પર્શ વગેરે થવા પર “અરર... વિરાધના થઈ.... વિરાધના થઈ...” આવી અરેરાટી એમના મનમાં થતી નથી. ને તેથી પૂજાના શુભ અધ્યવસાયો મનમાં જાગી શકે છે - ટકી શકે છે. આ શુભ અધ્યવસાયો મોહનીય કર્મનો ક્ષયોપશમ કરાવીને જીવને ઠેઠ સંયમ સુધી પહોંચાડી શકે છે. ને સંયમ પ્રાપ્તિ એટલે સર્વજીવોને અભયદાન. આમ થોડી પાણી – પુષ્પાદિ જીવોની વિરાધના છેવટે મહા અહિંસામાં પરિણમતી હોવાથી એ અનુબંધથી હિંસારૂપ નથી, પણ અહિંસારૂપ છે, માટે દોષરૂપ નીવડતી નથી. વળી, આગળ દાનબત્રીશીમાં આપણે જોઈ ગયા એ મુજબ એ પૂજકની આ પૂજા જોઈને અનુમોદના દ્વારા બીજા જીવો પણ સમ્યકત્વ પામી શકે છે જે ચૌદરાજલોકમાં અમારીનો પડહો વગાડવા સમાન છે. માટે દ્રવ્યહિંસા રહી હોવા છતાં ગૃહસ્થોને એ હિતકર બને છે. - સાધુઓ સૂક્ષ્મ કે બાદર. ત્રસ કે સ્થાવર ..બધાની સર્વપ્રકારની જીવ વિરાધનાથી વિરામ પામેલા છે. એટલે તેઓને જિનપૂજા કરવાનું વિધાન નથી, ને તેથી ગૃહસ્થોની જેમ તેઓ માટે જળ - પુષ્પાદિ જીવોની હિંસા અનુબંધથી અહિંસામાં પરિણમતી નથી. માટે એમને જિનપૂજા હિતકર રહેતી નથી. આ અંગેની વિશેષ વાત પાંચમી ભક્તિ દ્વાáિશિકામાં આવશે. બાળ - મધ્યમ વગેરે ભૂમિકાનો અને અપુનર્બન્ધક – સમ્યકત્વી વગેર ભૂમિકાનો વિશેષ વિચાર આગામી લેખમાં જોઈશું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004973
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy