SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ બત્રીશી-૨, લેખાંક-૧૨ ૧૧૯ નિર્જરાજનક આચારો સદાવાની સંભાવના છે. માટે ઉપવાસ નૈમિત્તિક છે (=પર્વતિથિ વગેરે નિમિત્ત પામીને કરવાનું અનુષ્ઠાન છે) અને એકાસણું નિત્યકર્તવ્ય છે (=વિશેષ નિમિત્ત વિના પણ રોજ કરવાનું અનુષ્ઠાન છે). આમ, જે શાસ્ત્રવચનો અંગે ભાવનાજ્ઞાન શૂન્ય વ્યક્તિને પૂર્વાપર વિરોધની આશંકા વગેરે દ્વારા નુકશાન સંભવિત છે એ જ શાસ્ત્રવચનો શ્રીહરિભદ્રસૂરિ મહારાજ વગેરેને પરસ્પર અવિરુદ્ધ સુસંગત લાગે છે એ ભાવનાજ્ઞાનનો પ્રભાવ છે. ને એના પ્રભાવે તેઓ સાધકને “એકાસણું કરું કે ઉપવાસ ?” એવી દ્વિધામાંથી બહાર કાઢી નિત્યએકાશનરૂપ હિતકર પ્રવૃત્તિમાં નિઃશંકપણે જોડે છે. માટે દરેક આત્મહિતેચ્છુએ ભાવનાજ્ઞાન સુધી પહોંચવાનો પ્રયત્ન કરવો જોઈએ, જેથી પછી ક્યારેય શાસ્ત્રવચનોમાં પૂર્વાપરવિરોધની આશંકા ન રહે. આ ભાવનાજ્ઞાન ન હોય તો ધર્મ કરવાની બુદ્ધિથી કરેલું અનુષ્ઠાન પણ જીવનું ભલું કરી શકતું નથી. શ્રી ઉપદેશમાળા ગ્રન્થ (૪૧૪) માં કહ્યું છે કે – અલ્પજ્ઞાની જીવ અતિદુષ્કર તપ વગેરે કરે તો પણ ક્લેશ પામે છે, કારણ કે સારી ભાવનાથી કર્યું હોય એવું પણ એનું ઘણું ઘણું અનુષ્ઠાન વાસ્તવમાં શુભ બનતું નથી. આ અંગે એક દષ્ટાન્ત શાસ્ત્રકારો આપે છે. એક નગરમાં આચાર્ય મહારાજ વિશાળ સમુદાય સાથે ચોમાસુ પધાર્યા. એક અજ્ઞાન ભાવુકે પ્રતિજ્ઞા કરી કે કોઈ પણ મહાત્મા બિમાર પડે તો દવાનો લાભ મારે લેવો. ચોમાસુ તો પૂરું થયું. પણ કોઈ બિમાર જ ન પડવાથી એ ભાવુકને કશો લાભ મળ્યો નહીં. એટલે એ ભાવુક પોતાની જાતને કમનસીબ માને છે કે મને કશો લાભ મળ્યો નહીં. પણ એ બિચારાને ખબર નથી કે આ વિચાર ગર્ભિત રીતે “સાધુ મહારાજ બિમાર પડ્યા હોત તો સારું હતું એવા અભિપ્રાયવાળો છે, કારણ કે એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004973
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy