SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ બત્રીશી-૧, લેખાંક-૧ અપાય...” તે મોક્ષ માટે કરાતા દાન અંગે છે. અનુકંપાદાનનો તો શ્રીજિનેશ્વરદેવોએ ક્યાંય નિષેધ કર્યો નથી. આવું જે શાસ્ત્રમાં આવે છે એના પરથી પણ જણાય છે કે અનુકંપાદાન એ મોક્ષ માટે કરાતું દાન નથી, અથાત્ અનુકંપાદાન મોક્ષફળ માટે હોતું નથી. જ્યારે સુપાત્રદાન માટે શ્રી ભગવતીસૂત્રમાં કહ્યું છે કે – સુપાત્રદાન બોધિપ્રાપ્તિ દ્વારા મોક્ષલક બને છે” એટલે જણાય છે કે સુપાત્રદાન મોક્ષ સુધીનાં ફળ આપનાર હોય છે. જે અનુકંપાને પાત્ર હોય એમને અનુકંપાદાન આપવું જોઈએ અને જે ભક્તિનું પાત્ર હોય એમને સુપાત્રદાન આપવું જોઈએ. આમાં વૈપરીત્ય કરનારને અતિચાર લાગે છે. આશય એ છે કે જે અનુકંપાનું પાત્ર છે એને સુપાત્ર માનવું (અર્થાત્ ભક્તિનું પાત્ર માનવું) અને જે સુપાત્ર છે એને અનુકંપાનું પાત્ર માનવું (અર્થાત્ દયા-દાન કરવા યોગ્ય માનવા) એ વિપરીત બુદ્ધિ છે, એનાથી અતિચાર લાગે છે. શંકા - અનુકંપાના પાત્ર એવા ભિખારી વગેરેને સુપાત્ર માનવામાં તો વિપરીત બુદ્ધિ હોવાથી અતિચાર લાગે એ સમજાય એવું છે. પણ સુપાત્રમાં અનુકંપાની પાત્રતા જોવી એ કાંઈ વિપરીત નથી. રોગ, ભૂખ, થાક વગેરેની પીડાથી દુઃખી થયેલા સાધુ ભગવંત પ્રત્યે “હું એમનું આ દુઃખ દૂર કરું” એવી દયા ઉભરાય તો એમાં ખોટું શું છે? સમાધાન - આ દયા ઉભરાય એમાં તો કશું ખોટું નથી... પણ, “હું દયા કરનારો ને તેઓ દયાપાત્ર.” એટલે “હું ઊંચો ને તેઓ હીન (નીચા)” આવી બુદ્ધિ જો પેદા થાય તો એ તો ખોટી છે જ. આશય એ છે કે સામાન્ય રીતે જેઓ દયાપાત્ર હોય છે તે ભિખારી, હોસ્પિટલના દર્દી વગેરે અંગે “આ બધા બિચારા છે” “આ બધા દુઃખી છે ને હું એમનો ઉદ્ધારક છું” આવી રીતે હીનપણાની બુદ્ધિ થતી જ હોય છે. આવું વારંવાર થવાથી, “જ્યાં જયાં દયાપાત્રતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004973
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy