SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે નાના મહાત્માને પોતાનું કામ ભળાવતી વખતે ઈચ્છાકાર કરવો... અર્થાત્ “તમે મારું કામ તમારી ઇચ્છાપૂર્વક (ઈચ્છા હોય તો) કરી આપશો ?” આ રીતે ઇચ્છાકાર કરવામાં સામા મહાત્માને ઉપર જણાવેલી પીડા ઉપજે નહીં, એ સ્પષ્ટ જ છે. હવે, ક્યારેક એવું બને કે, એક મહાત્મા કારણવશા પોતાનું કામ બીજાને ભળાવવા ઇચ્છાકાર કરી રહ્યા છે, એ જોઈને કોઈ ત્રીજા મહાત્મા સામેથી એમની પાસે કામ માગે છે કે “તમારી ઇચ્છા હોય તો હું આ કામ કરી આપું.” આવા અવસરે આજ્ઞા-બળાભિયોગશંકાજન્ય પીડા થવાની સંભાવના જ ન હોવાથી એવી પીડાના પરિહારનું પ્રયોજન રહેતું નથી. તેમ છતાં, એ પ્રથમ મહાત્માએ એ ત્રીજા મહાત્માને ઈચ્છાકાર કરવો જ એમ જ્ઞાનીઓએ કહ્યું છે ને એ કરવા પાછળ “શિષ્ટાચારનું (મર્યાદાનું) પાલન કરવા માટે કરવો” આવું પ્રયોજન દેખાડ્યું છે. આમ નિશ્ચિત થયું કે કલ્યાણકારી કોઈ પણ કાર્યના પ્રારંભે, સંભવિત વિપ્નના નાશ માટે અને શિષ્ટાચારના પાલન માટે મંગળ કરવું જોઈએ. એટલે ગ્રન્થકાર શ્રીયશોવિજયજી મહારાજ પણ, પરમમંગળરૂપ દાનધર્મનું સહુ પ્રથમ નિરૂપણ કરે છે. દાનના બે પ્રકાર છે – અનુકંપાદાન અને સુપાત્રદાન. અનુકંપાદાન ભૌતિક સમૃદ્ધિને આપનારું હોય છે ને સુપાત્રદાન મોક્ષ સંપત્તિને આપનારું હોય છે. જો કાળ, ભવિતવ્યતા વગેરે અનુકૂળ ન હોય તો અનુકંપાદાન સાંસારિક સુખ આપીને અટકી જાય છે. પણ જો કાળ વગેરે પાકી ગયા હોય તો અનુકંપાદાન એવું પુણ્ય બંધાવી આપે છે જેના પ્રભાવે માનવભવ, આર્યકુલ, જૈનધર્મ વગેરેની પ્રાપ્તિ દ્વારા આત્માનો અભ્યદય થાય છે જે ક્રમશઃ જીવને મોક્ષ સુધી પહોંચાડે છે. જેમકે મેઘકુમારનો જીવ હાથી. આગમમાં દાન માટે આવો જે વિધિ બતાવ્યો છે કે, “વિશેષ કારણ ન હોય તો સુપાત્રને શુદ્ધદાન આપવું, વિશેષ કારણ હોય તો અશુદ્ધ પણ અપાય, કુપાત્રને દાન ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004973
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy