SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ એક-એક નયના પ્રાધાન્યવાળી લેખાંક દેશના પણ હિતકર બનતી હોવાથી આપી શકાય છે, એ ગયા લેખમાં આપણે ક, ૧૧ જોયું હતું. હવે, આ જ વાતનું શાસ્ત્રીય વાત દ્વારા ગ્રન્થકાર સમર્થન કરે છે. જેઓ નિર્દોષગોચરી વગેરે આચારપાલનમાં ચુસ્ત હોય છે તેવા સાધુઓ “સંવિગ્ન' કહેવાય છે. જેઓ આમાં ઢીલા પડીને શિથિલ આચાર સેવતા હોય છે તેઓ પાર્થસ્થ (પાસસ્થા) વગેરે કહેવાય છે. જેઓએ સંવિગ્ન સાધુઓ પાસેથી જાણકારી મેળવી હોય, જેઓ સંવિગ્ન સાધુઓના વિશેષ પરિચયમાં આવેલા હોય, આવા જીવો સંવિગ્નભાવિત કહેવાય છે. એમ પાર્થસ્થાદિના પરિચયથી ધર્મની જાણકારી મેળવેલા જીવો લુબ્ધક દૃષ્ટાંત ભાવિત જીવો કહેવાય છે. આ જીવો બાળ હોય છે. વળી આ બાળજીવો મુગ્ધ પણ હોય શકે કે અભિનિવિષ્ટ (કદાગ્રહવાળા) પણ હોય શકે. સંવિગ્નભાવિત જીવો બાળ પણ હોય શકે કે મધ્યમ પણ હોય શકે કે પંડિત પણ હોય શકે. આપણે સહુ પ્રથમ સંવિગ્નભાવિત બાળજીવોની વાત કરીએ. સામાન્ય નિયમ એવો છે કે પહેલાં ઉત્સર્ગ દેખાડવો જોઈએ. એટલે પૂર્વે જે સંવિગ્ન મહાત્માઓ આવ્યા હતા તેમણે આ બાળજીવોને “સાધુઓને શુદ્ધ ભિક્ષા જ વહોરાવાય” આવો ઉત્સર્ગમાર્ગ દેખાડ્યો હોય. પણ પછી અપવાદમાર્ગ દેખાડવાનો અવસર રહ્યો ન હોય, અથવા આ બાળજીવોની બુદ્ધિ એવી પરિકર્મિત થઈ ન હોય કે જેથી અપવાદ માર્ગને તેઓ કોઈપણ જાતના વિપરિણામ (=અપરિણામ કે અતિપરિણામ) વિના સમજી-સ્વીકારી શકે. એટલે અપવાદ માર્ગ એ સંવિગ્ન સાધુઓએ દેખાડ્યો ન હોય ને તેથી આ બાળજીવોને “સાધુઓને શુદ્ધ ભિક્ષા જ અપાય' એવો એકાન્ત (કદાગ્રહ રૂપે નહીં, પણ આગ્રહરૂપે) પકડાઈ ગયો હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004973
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy