SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે વ્યવહાર માર્ગમાં જોડાશે એટલે એ બીજા પ્રકારનો જીવ બનશે. (૨) જે જીવે વ્યવહારનય માન્ય આચારધર્મની જ ખૂબ વાતો સાંભળી છે ને એટલે એમાં જ ખૂબ મચી પડ્યો છે, પણ નિશ્રયનય માન્ય વાતો સાંભળી ન હોવાથી એ એને જાણી નથી કે એનું એને લક્ષ્ય બંધાયું નથી. તો એવા જીવને એ આચારમાર્ગમાં જે જોડાયો છે એની ઉપબૃહણા કરીને પછી માત્ર નિશ્ચયનયની વાતો કરે તો પણ વસ્તુતઃ એ પ્રમાણદેશના જ બની રહે છે. કારણ કે વ્યવહાર તો એ જીવમાં રહ્યો જ છે, હવે નિશ્ચય ઉમેરાશે એટલે આત્મહિતનો પરિપૂર્ણ માર્ગ એના હાથમાં આવી જાય છે. વળી જો આચારમાર્ગનો કદાગ્રહ એને બંધાઈ ગયો હોય તો એ કદાગ્રહ દૂર કરવાના અભિપ્રાયથી વ્યવહારમાર્ગને નિષ્ફળ કે વિપરીત ફળવાળો કહેવા દ્વારા દૂષિત પણ ઠેરવે. એ દૂષિત ઠરે એવા ભારપૂર્વક નિશ્ચયનું જોરશોરથી પ્રતિપાદન પણ કરે. પણ એની પાછળનો આશય વ્યવહારનો કદાગ્રહ દૂર કરવાનો ને નિશ્ચયની આવશ્યકતા પ્રસ્થાપિત કરવાનો જ હોય, વ્યવહારને એ જીવ છોડી જ દે એવો ન હોય, કારણ કે વ્યવહાર વિના પણ આરાધનાનો માર્ગ પરિપૂર્ણ થતો જ નથી. એટલે નિશ્ચયનયની કહેવાતી દેશના એવી રીતે જો અપાતી હોય કે જેથી શ્રોતા વ્યવહાર માર્ગને છોડી દે, તો એ વસ્તુતઃ નિશ્ચયનયની દેશના નથી, પણ નિશ્ચયાભાસની દેશના છે, એ પણ જીવનું અહિત કરનાર છે. (૩) આવું જ નિશ્ચયની જ વાતો સાંભળી-જાણી હોવાથી એનાથી જ રંગાઈ ગયેલા જીવને વ્યવહારની દેશના આપવી વગેરે જાણવું. અને નિશ્ચયનો કદાગ્રહ બંધાઈ ગયો હોય તો નિશ્ચયને નિષ્ફળ કે વિપરીત ફળક કહીને દૂષિત પણ ઠેરવે. આમ બાળ વગેરે જીવોને કેવી દેશના આપવી? અને તે દેશના એક-એક નયના પ્રાધાન્યવાળી હોવા છતાં કઈ રીતે હિતકર બને છે તે આપણે જોયું. હવે આ જ વાતનું શાસ્ત્રીય દૃષ્ટાંત સાથેનું સમર્થન અગ્યારમાં લેખાંકમાં આપણે જોઈશું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004973
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy