SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે ખંડન ન હોય એ રીતે પ્રથમ નય દેશના આપે, કારણ કે એ નયને માન્ય સમજણ પણ ઊભી તો રાખવાની જ છે. તે પણ એટલા માટે કે મહાપુરુષોનો કોઈપણ પ્રયાસ અપ્રાપ્ત ચીજની પ્રાપ્તિ કરાવનારો હોવાના કારણે જ મહાન હોય છે. એ પ્રાપ્તિ પણ એ રીતે જ ઈષ્ટ હોય છે કે જે રીતે પૂર્વપ્રાપ્ત માન્યચીજનો નિષેધ ન થઈ જતો હોય. આ વાતને લૌકિક દષ્ટાંતથી સમજીએ. ચા બનાવવા માટે દૂધપાણીની સાથે ચાની પત્તી પણ જોઈએ ને ખાંડ પણ જોઈએ. એટલે શ્રોતા આ બંનેની આવશ્યકતા સમજતો થાય એ વક્તાનું લક્ષ્ય હોય એ સ્પષ્ટ છે. હવે શ્રોતા ત્રણ પ્રકારના હોય છે. (૧) જેની પાસે બેમાંથી એકે નથી. (૨) ચા માટે ચાની પત્તી જોઈએ એવું જેણે જાણેલું છે ને તદનુસાર ચાની પત્તી ભેગી પણ કરેલી છે એવો માનવી... અને (૩) સાકરની આવશ્યક્તા જાણીને સાકરને ભેગી કરેલી હોય એવી વ્યક્તિ. આમાંની પ્રથમ વ્યક્તિને તો બંનેની આવશ્યકતા જણાવવી જરૂરી છે ને છતાં, એને જે સુલભ હોય એની વાત પ્રથમ કરે. એનું સંપાદન સહેલાઈથી થવાથી એનો ઉત્સાહ વધે છે. વક્તા શ્રદ્ધેય ભાસે છે... ને તેથી પછી બીજી ચીજ મેળવવી કદાચ કઠિન હોય તો પણ વક્તાના કહેવા પર એ માટે એ પ્રયતશીલ બને છે. બીજી વ્યક્તિએ ચાની પત્તી એકઠી કરેલી છે. એટલે એની ઉપબૃહણા કરીને એને આવર્જિત કરે.... અને પછી ખાંડની આવશ્યકતાનો ઉપદેશ કરે. વળી, “ચાની પત્તી હોય તો જ ચા થાય એવું વારંવાર સાંભળ્યું-વિચાર્યું હોવાના કારણે “ચાની પત્તીથી જ ચા થાય” આવો કદાગ્રહ બંધાઈ ગયો હોય...ને એના કારણે ચાની પત્તી ભેગી કરવામાં જ મચી પડ્યો હોય... તો એના કદાગ્રહને દૂર કરવા એનું ખંડન પણ કરે. “ચાની પત્તી તો તારી પાસે ઘણી છે, છતાં ચા બનતી નથી. માટે ચાની પત્તી નકામી છે.....” એમ કહે અર્થાત્ ચાની પત્તીની માત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004973
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy