SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૫ બત્રીશી-૨, લેખાંક-૧૦ કોને કયા ક્રમે દેશના આપવી જોઈએ ? ઉત્તર : સહુ પ્રથમ શ્રોતાની જેવી રુચિ હોય તેને અનુકૂળ જે નય હોય તેની દેશના આપવી. અર્થાત્ જે જીવ ક્રિયારુચિ હોય એની સમક્ષ પ્રથમ ક્રિયાની મહત્તા ગાવી. જે જીવ પ્રભુભક્તિની રુચિવાળો હોય એની સમક્ષ પ્રભુભક્તિનો મહિમા ગાવો. એમ તપોરુચિ, સ્વાધ્યાયરૂચિ, વૈયાવચ્ચચિ વગેરે.... જીવ સમક્ષ તપ વગેરેની મહત્તા ગાવી. આનાથી શ્રોતાને વક્તા પ્રત્યે આકર્ષણ જાગે છે જેના પ્રભાવે એને વક્તા પર કંઈક આસ્થા પેદા થવાથી વક્તાની વાતને ધ્યાનથી સાંભળવા - વિચારવા - સમજવા અને સ્વીકારવા એ તૈયાર થાય છે. માટે તો શ્રી ઉપમિતિભવપ્રપંચી કથામાં અર્થપ્રેમી જીવને અર્થકથાથી આકર્ષવો વગેરે વાતો કહેલી છે. આટલી વાત કર્યા પછી ગીતાર્થગુરુ શ્રોતાની ભૂમિકા તપાસે છે. એમાં ગુરુને જો એવું પ્રતીત થાય કે (૧) શ્રોતા પોતાના પર આસ્થાવાળો બન્યો છે ને તેથી પોતે જે કહેશે એને સાંભળવા - સ્વીકારવાની તૈયારીવાળો થયો છે, તથા (૨) એની બુદ્ધિ પણ હવે, બીજા નયની વાતને સમજવા જેટલી પરિકર્મિત થઈ ગઈ છે, તો ગીતાર્થ વક્તા એ શ્રોતાને બીજા નયની પણ દેશના આપે છે. જે શ્રોતાએ એક પણ નયની વાતને પ્રધાનરૂપે જાણી નથી કે થોડા આગ્રહ સાથે પકડી નથી એવા શ્રોતા માટે આ વાત છે. જે શ્રોતાએ એક નયની વાત પહેલાં અન્ય વક્તા પાસેથી જાણી લીધેલી છે ને એનો કદાગ્રહ નહીં, પણ કંઈક આગ્રહ બંધાયેલો છે તેવા શ્રોતાને બીજા નયની દેશના આપવી જોઈએ. અલબત્ આમાં પણ શ્રોતાને વક્તા પર વિશ્વાસ ઊભો થવો એ પાયો તો છે જ. એટલે એ વિશ્વાસ ઊભો કરવા માટે જરૂર હોય તો કદાચ એ શ્રોતાએ પહેલેથી જાણેલા નયની વાત પહેલાં કરે. વળી, એ શ્રોતાએ જે નય જાણી લીધેલો છે એ નયનું મુખ્યરૂપે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004973
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy