SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ नैगमनयलक्षणम् सुगमान्वया सुगमार्था च ॥५ ॥ तत्राद्यं नैगमनयं लक्षयति निगमेषु भवो बोधो नैगमस्तत्र कीर्तितः । यद्वा नैके गमास्तस्य यतस्ततोऽपि नैगमः ॥ ६ ॥ गाथान्वयः सुगमः । लोकार्थनिबोधा निगमा भण्यन्ते । लोकस्य जीवाद्यर्थेषु नितरामनेकप्रकारा बोधा निगमा इत्यर्थः । तेषु भवः कुशलो वाऽयमिति नैगमः । यद्वा गम्यतेऽनेनेति गमः पन्था बोधमार्ग इत्यर्थः, ततश्च नैके गमाः पन्थानो यस्यासौ नैकगमः, निरुक्तविधिना ककारलोपाद् नैगमः । यथा को ग्रामः ? इत्यत्र प्रस्तावे सीमापर्यन्तो ग्रामः, प्रजासमध्यासितगृहाऽऽराम-वापी - देवकुलादिरूपो वा ग्रामः केवला प्रजा वा ग्रामः, प्रधानपुरुषो वा ग्राम इत्यादीन् सर्वानपि प्रकारान् मन्यतेऽसावित्येवं नैकगमत्वाद् नैगमोऽसौ । तथा क्व वसति भवान् ? इति प्रश्ने 'लोके वसामि' 'तिर्यग्लोके वसामि' तथा मनुष्यक्षेत्रे, નવૂદ્રીપે, ભરતક્ષેત્રે, મધ્યવú, પાટલીપુત્ર, વસતી, સંસ્તાર, બાળપ્રવેશેજી વસામિ... ५३ ગાથાર્થ આ સાત નયોમાં, નિગમોમાં થયેલો બોધ એ નૈગમ કહેવાય છે અથવા એના અનેક ગમબોધ કરવાના માર્ગો છે, માટે પણ એ નૈગમ કહેવાય છે. વિવેચન - ગાથાનો અન્વય સુગમ છે. લોકાર્થ નિબોધ એ નિગમ કહેવાય છે. લોક જીવાદિ પદાર્થોનો જે ચોક્કસ અનેક પ્રકારનો બોધ કરે છે તે નિગમ છે એવો અર્થ જાણવો. પ્રથમ નય આવા નિગમોમાં ઉત્પન્ન થયેલો છે અથવા એમાં કુશળ છે, માટે નૈગમ કહેવાય છે. અથવા, જેનાથી (વસ્તુ) જણાય તે ગમ=પંથ=બોધ કરવાનો માર્ગ. તેથી ન એકઅનેક છે ગમ-પંથ જેના તે નૈકગમ, નિરુક્ત=વ્યુત્પત્તિના નિયમાનુસાર કકારનો લોપ થવાથી ‘નૈગમ' શબ્દ બને છે. જેમકે ગામ કોને કહેવાય ? એ પ્રસ્તાવમાં, ‘સીમા સુધી ગામ કહેવાય’, ‘પ્રજા જ્યાં રહેતી હોય તેવા ઘર-બગીચા-વાવડી-દેવકુલ વગેરે રૂપ ગામ છે,' અથવા ‘માત્ર પ્રજા એ જ ગામ', અથવા ‘મુખ્ય પુરુષ એ જ ગામ', વગેરે બધા પ્રકારને આ નૈગમનય સ્વીકારે છે. એટલે નૈકગમ હોવાથી એ નૈગમ છે. તથા વસતિદૃષ્ટાન્તમાં ‘તમે ક્યાં રહો છો ?’ આવા પ્રશ્નના ઉત્તરમાં ‘લોકમાં વસુ છું', ‘તિńલોકમાં વસુ છું', ‘મનુષ્યક્ષેત્રમાં વસુ છું', એમ જંબુદ્રીપમાં-ભરતક્ષેત્રમાં-મધ્ય ખંડમાં-પાટલીપુત્રમાં-વસતિમાં-સંથારામાં-આકાશપ્રદેશોમાં વસુ છું’ એ પ્રમાણે ‘મારા આત્મામાં વસુ છું' આવા ઉત્તર સુધીના દરેક ઉત્તરો નૈગમને માન્ય છે, માટે એ અનેકબોધમાર્ગવાળો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004971
Book TitleNayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2008
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy