SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ नयविंशिका इह हि सर्वनयमये श्री जैनप्रवचने तत्तद्वाक्यविशेषस्य तत्तन्नयविशेषानुसारितया किं वाक्यं कं नयं पुरस्कृत्य प्रयुक्तमिति सम्यग्निर्णयः कर्तव्यः । तदर्थमनुयोगद्वारेषु चतुर्थं नयद्वारमुपन्यस्तं वर्तते । अतो नयव्युत्पादनमावश्यकम् । यद्वा इह हि जगति सर्वस्य वस्तुनोऽनन्तधर्मात्मकत्वेन सङ्कीर्णस्वभावतया तत्परिच्छेदकं प्रमाणमपि तथास्वभावमेवेत्यसङ्कीर्णप्रतिनियतधर्मप्रकारकबोधार्थं तथाव्यवहारार्थं च नयानामेव सामर्थ्यमित्यतोऽपि नयव्युत्पादनमावश्यकम् । नन्वागमे सूत्राणां मूढनयिकत्वमुक्तम् । तथाहि समोयरंति इहं । ॥आ.नि. २२७९ ॥ व्याख्यालेशश्चायं समारभ्य कालिकमुपलक्षणाद् दृष्टिवाद उत्कालिकं च सूत्रं मूढनयिकं २ 1 Jain Education International मूढनइयं सुयं कालियं तु न नया देवेन्द्रवन्दितेभ्य आर्यरक्षितेभ्यः मूढा अविभागस्था - શ્રી જૈનપ્રવચન સર્વનયમય છે. તેનું તે તે ચોક્કસ વાક્ય તે તે નયને અનુસરનારું હોવાથી કયું વાક્ય કયા નયને અનુસરનારું છે ? એનો સમ્યગ્ નિર્ણય કરવો જરૂરી બનતો હોય છે. એ માટે શ્રી અનુયોગદ્વારસૂત્ર આગમમાં ચોથું નયદ્વાર રાખવામાં આવ્યું છે. તેથી નવિષયક બોધ વિશદ બને એવું નિરૂપણ આવશ્યક છે. અથવા, આ વિશ્વમાં સર્વ વસ્તુઓ અનંતધર્માત્મક છે. માટે વસ્તુઓ સંકીર્ણ સ્વભાવવાળી છે. અર્થાત્ વસ્તુઓ નિત્યત્વ અને અનિત્યત્વ, એકત્વ અને અનેકત્વ વગેરે ધર્મોથી સંકળાયેલ છે. એટલે એનો નિશ્ચય કરાવનાર ‘પ્રમાણ’ પણ સંકીર્ણ સ્વભાવવાળું જ હોય છે. તેથી પ્રથમદૃષ્ટિએ વિરુદ્ધ ભાસે એવા નિત્યત્વાદિ ધર્મોથી સંકીર્ણ ન થયેલ હોય એવા પ્રતિનિયત અનિત્યત્વાદિ ધર્મને આગળ કરીને વસ્તુનો બોધ કરવા માટે અને એ રીતે વ્યવહા૨ ક૨વા માટે નયવિષયક બોધને વિશદ કરવો જરૂરી છે. આશય એ છે કે પ્રમાણ તો વસ્તુને નિત્યાનિત્ય જ જણાવી શકે છે. માત્ર નિત્ય કે માત્ર અનિત્ય નહીં. એટલે વૈરાગ્યથી ભાવિત થવા માટે વસ્તુને અનિત્યરૂપે જોવી અને કહેવી હોય તો એ માટે નયની જ જરૂર પડે છે. તેથી નયનું સ્પષ્ટીકરણ થાય એ આવશ્યક છે. શંકા-આગમમાં તો કાલિક વગેરે સૂત્રોને મૂઢનયિક કહ્યા છે. જેમકે આવશ્યક નિર્યુક્તિ (ગા. ૨૨૭૯) માં કહ્યું છે કે-‘કાલિકશ્રુત મૂઢયિક છે, એમાં નયોનો સમવતાર હોતો નથી.’ આની વ્યાખ્યાનો જરૂરી અંશ આવો છે - દેવેન્દ્રવન્દિત શ્રીઆર્યરક્ષિતસૂરિ મહારાજથી લઈને કાલિકસૂત્ર તથા ઉપલક્ષણથી દૃષ્ટિવાદ અને ઉત્કાલિકસૂત્ર પણ મૂઢનિયક છે. અર્થાત્ એમાં નવિભાગ દર્શાવવામાં આવતો નથી. એટલે કે એમાં પદે પદે નયોનો સમવતાર કરવામાં આવતો નથી. આમ જો નયોનો સમવતાર કરવાનો નથી, તો એનું For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004971
Book TitleNayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2008
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy