SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ४६ जीवन्तीति । यद्वा तस्याधाकर्म्मिकभक्तादेर्गुणानाश्रित्य प्रशंसतः प्रशंसा अनुमोदना भवति । यथा कश्चित् साधुराधाकर्मिकं भुञ्जानं साधुं दृष्ट्वा वक्ति यथा मिष्टमिदं त्वया लब्धं, परिपूर्णं भक्त्या बुभुक्षाप्रस्तावे वसन्तादिकर्तुयोग्यं सघृतादीत्येवं तद्गुणविकत्थनं कुर्वतस्तस्याभुञ्जानस्यानुमोदना भवति। तु शब्दश्चैतासामेव गुरुलघुत्वादिविशेषसूचनार्थः । तद्यथा प्रतिषेवा आधाकर्म्मदोषासेवनाद् गुर्व्वीीं। ततः प्रतिश्रवणा लघ्वी प्रतिषेवायाः कारणत्वात् । ततोऽपि लघुतरः संवासः त्रिविधाया अनुमोदनाया एव प्रायः कारकत्वात्। ततोऽपि लघुतमा अनुमोदना वाचनिकानुमतेरेव विषयत्वात् । इतिशब्दश्चतसृणामपि स्वरूपपरिसमाप्त्यर्थः । चतुर्थपादं तु दृष्टान्तभणनादुपरिष्टाद् व्याख्यास्यामः। इदानीं त एव कथ्यन्ते। तांश्च वस्तुविचारग्रन्थत्वात् संक्षेपेण भणिष्यामः । एवं शेषाख्यानकान्यपि । तत्र प्रतिषेवायां चौरदृष्टांतो यथा प्रतिषेवा विषयकः चौरदृष्टांतः = एगंमि गामे अणेगे चोरा वसन्ति ते य अन्नया कुओवि संनिवेसाउ गावीउ हरिऊण नियगामाभिमुहं चलिया । तत्थ केवि पहिया मिलिया, जाहे सदेसे पविट्ठा, तउ नियमंडलो ि તે અનુમોદના એટલે શું ? તે કહે છે, ‘તવ્રશંસા તુ' આધાકર્મ ખાનારની પ્રશંસા એ અનુમોદના છે જેમ કે, તમારું પારણું સુખેથી થયું ? અને તમારો દિવસ સુખેથી પસાર થયો ? અથવા ‘આ લોકોને મજા છે કે જેઓ મિષ્ટઆહારથી જીવે છે' અથવા આધાકર્મ ગોચરીને આશ્રયીને પ્રશંસા કરે, જેમકે કોઈ સાધુ આધાકર્મ ખાતો હોય તેને કહે ‘આ મિષ્ટ ગોચરી તમને મળી. એક બાજુ ભૂખ લાગેલી અને ત્યાં જ બીજી બાજુ ભક્તિથી પરિપૂર્ણ વસન્તાદિ ઋતુને યોગ્ય ઘીથી લથપથ ગોચરી મળી ગઈ.” આ પ્રમાણે આધાકર્મ ન ખાવા છતાં પણ એની અનુમોદના કરે. ‘તુ' શબ્દ એ, આ પ્રતિષેવા વગેરે ચારેયના ગુરુ-લઘુ વગેરે અર્થનો સૂચક છે. તે આ પ્રમાણે કે - આધાકર્મ ખાવાથી પ્રતિષેવા એ મોટો દોષ છે, પ્રતિષેવાના કારણભૂત હોવાથી પ્રતિશ્રવણા એ પ્રતિષેવા કરતા નાનો દોષ છે, મન-વચન અને કાયા પ્રાયઃ એ ત્રણે પ્રકા૨ની અનુમોદનાને કરનાર હોવાથી સંવાસએ એનાથી ય નાનો દોષ છે. માત્ર વાચિક અનુમતિ હોવાથી અનુમોદના એ એનાથી ય નાનો દોષ છે. ‘રૂતિ’ શબ્દ એ પ્રતિષેવા વગેરે ચારેયના સ્વરૂપની પરિસમાપ્તિના અર્થમાં છે. ગાથાના ચોથા પદની વ્યાખ્યા અમે દૃષ્ટાંત કહી ગયા બાદ કહીશું. હવે તે જ દૃષ્ટાંતો કહેવાય છે. આમ તો આ ગ્રન્થ વસ્તુનો (=તત્ત્વનો) વિચાર કરવા માટેનો છે. દૃષ્ટાંતોનો આ ગ્રન્થ નથી, તો પણ ઉપયોગી જરૂરી હોવાથી અમે સંક્ષેપથી કહીશું. આ જ વાત આગળ આવનારા દૃષ્ટાંતો અંગે પણ જાણવી. ‘૩’ • પ્રતિષેવા વિષયે ચોરોનું દૃષ્ટાંત • એક ગામમાં અનેક ચોરો વસે છે. એકવાર તે ચોરો કોક જગ્યાએથી ગાયોને ચોરીને પોતાના ગામ બાજુ ચાલ્યા. રસ્તામાં કેટલાક પથિકો સાથે જોડાયાં. જ્યારે પોતાના દેશમાં પ્રવેશ્યાં ત્યારે ‘પોતાનો દેશ છે' એ પ્રમાણે નિર્ભય થયેલા ભોજનવેળાએ ગાયોમાંથી કેટલીક ગાયો મારીને પકાવવા લાગ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy