SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ३८ प्रत्येकबुद्धाः कथम् संघातीताः ॥ अथ प्रवचनलिङ्गातीतत्वं शास्तुरस्तु प्रत्येकबुद्धानां च शेषयतितुल्यानां तत्कथमिति चेदुच्यते । तेऽपि सङ्घसमक्षमाचार्यादिसन्निधौ न लिङ्गप्रतिपत्तिं व्रतग्रहणं वा विदघति, नापि द्विविधां शिक्षा शेषां वा सामाचारीमपरपाघे शिक्षते किन्तु पूर्वाधीतश्रुतबलेन सधैं स्वयं ज्ञात्वा कुन्त्यनुष्ठानं लिङ्गं च देवता प्रयच्छति, अतः सम्पद्येत तेषां लिङ्गस्य प्रदान(न)सङ्घांतर्वर्त्तित्वाभावात्(भावः), प्रवचनलिङ्गातीतत्वं तेषामेतावतोच्यते तत्त्वं तु बहुश्रुता विदन्ति । तत्र तीर्थकरः शास्ता स्वयंबुद्धप्रत्येकबुद्धयोश्च बोध्यु-पधिश्रुतलिङ्गकृतो विशेषस्तथाहि स्वयंबुद्धा बाह्यवृषभादिप्रत्ययमन्तरेणैव बुद्ध्यन्ते, प्रत्येकबुद्धास्तु न तद्विरहेण। उपधिस्तु स्वयंबुद्धानां द्वादशविधस्तत्र पात्रादीनि सप्त, कल्पत्रयम्, रजोहरणम् मुखवस्त्रिका च। प्रत्येकबुद्धानां नवविधोऽयमेव कल्पत्रयवर्जः। श्रुते तु पूर्वभवाधीते स्वयंबुद्धा-नामनियमः, प्रत्येकबुद्धानां तु नियमः तच्चोभयोरपि जघन्यत एकादशाङ्गानि, उत्कृष्टस्तु भिन्नदशपूर्वाणीति, लिङ्गग्रहणं स्वयंबुद्धानामाचार्यसन्निधावपि । प्रत्येकबुद्धानां तु देवता समर्पयति । • પ્રત્યેકબુદ્ધ સંઘથી અતીત કેમ ? • પ્રશ્ન :- તીર્થકર સંઘથી-અતીત છે એ વાત બરાબર પણ, પ્રત્યેકબુદ્ધ તો શેષયતિતુલ્ય છે ને ? તો પણ તેઓને કેમ પ્રવચન-લિંગથી અતીત કહ્યાં ? ઉત્તર :- કારણ કે તીર્થંકરની જેમ તેઓ પણ સંઘ સમક્ષ આચાર્યાદિની નિશ્રામાં લિંગ કે વ્રત લેતા નથી, બન્ને પ્રકારની શિક્ષા = ગ્રહણ શિક્ષા, આસેવન શિક્ષા કે સામાચારી બીજા પાસે શીખતા નથી, પરન્તુ પૂર્વે ભણેલ શ્રુતના બળે બધુંજ જાતે જાણીને અનુષ્ઠાન કરે છે અને લિંગ તો તેઓને દેવતા આપે છે. આથી તેઓના લિંગનો પ્રદાનને આશ્રયીને સંઘાંતવર્તિત્વાભાવ થાય છે અર્થાત્ તેઓને લિંગ દેવો દ્વારા અપાતું હોવાથી તેઓ સંઘાંતવર્તિ ન ગણાય, આટલાથી તેઓનું પ્રવચન અને લિંગથી અતીતત્વ કહેવાય છે, તત્ત્વ તો બહુશ્રુતો જાણે. તીર્થંકરપ્રભુ તો શાસનના નાયક છે, તીર્થ સ્થાપક છે. એટલે એમની વાત ન્યારી છે, પણ સ્વયંબુદ્ધ અને પ્રત્યેકબુદ્ધનો બોધિ-ઉપાધિ-શ્રુત અને લિંગથી ફરક પડે છે. તે આ પ્રમાણે – સ્વયંબુદ્ધ – (૧) બાહ્ય બળદાદિન નિમિત્ત વિનાજ બોધ પામે. (૨) ૧૨ પ્રકારની ઉપાધિ હોય છે. તેમાં પાત્રાદિ-૭ + કલ્પ-૩ (બે સુતરાઉ કપડા + ઉનનો કપડો = કામળી) + ઓઘો મુહપત્તી-૨ = ૧૨. (સ્વયંબુદ્ધ ગચ્છમાં રહે તો બધા જ વ્યવહારો પાળે, પણ એકાકી વિચરે તો એમના માટે કોઈજ વ્યવહાર નથી. રૂત્તિ પૂજ્ય-Mયપોષસૂર:) (૩) પૂર્વભવમાં શ્રુત ભણ્યા જ હોય એવો નિયમ નથી. (જઘન્યથી ૧૧ અંગ અને ઉત્કૃષ્ટથી ૧૦ પૂર્વ પૂર્ણ નહિ) (૪) લિંગગ્રહણ આચાર્યાદિની નિશ્રામાં હોય કે ન પણ હોય. પ્રત્યેક બુદ્ધ :- (૧) બાહ્ય નિમિત્તથી બોધ પામે. (૨) કલ્પ-૩ છોડીને ૯ પ્રકારની ઉપધિ રાખે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy