SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ २५ भरनिर्भराङ्गः साधूनामकल्प्यमेतदिति जानानोऽजानानो वा स्वक्षेत्रे कुतोऽपि कारणतः साधूनामनवस्थानमवलोक्य प्रच्छन्नादिना ज्ञात्वा च साधूनामवस्थानहेतोरशनादेश्चतुर्विधस्याप्याहारस्य वपनादिनोत्पादनं करोति तत्राशनोत्पादनमाश्रित्याख्यानकं पूर्वाचार्योक्तम् यथा आदित एवाऽऽधाकर्मिकाऽशन-संभवविषये जिनदत्तस्य उदाहरणम् ॥ "अणेगकुलसयसंकुलो संकुलो नाम गामो आसी, तम्मि जिणदत्तो नाम सावओ, तस्स य जिणमती नाम भज्जा । तत्थ कोद्दवरालगा उप्पज्जन्ति त्ति तेसिं संतिउ कूरो भिक्खाए पउरो लब्भइ, वसही अ रमणिज्जा लब्भइ, सज्जाओ य निव्वहइ, परं आयरियाइपाउग्गो सालिकूरो नत्थि त्ति न केइ आयरिया तत्थ चिट्ठन्ति । अन्नया य गुणनिहिणो पडिलेहणत्थं पेसिया। तेसिं जिणदत्तेण रमणिज्जा वसही समप्पिया। तेहिं तस्स वुत्तन्तं कहियं, खेत्तं पडिलेहियं । जिणदत्तेण પુઠ્ઠા, મયવં ! તુટ્ટા વેત્ત ચં ? પૂરો પત્થા મિનિ ?... ... .... પરં વારનું ન ઉત્તર :- કોક અત્યંત ભક્તિવાળો ગૃહસ્થ “આ સાધુઓને કલ્પતું નથી એવું જાણતો હોય કે ન જાણતો હોય, એ ગૃહસ્થ પોતાના ક્ષેત્ર = ગામ નગર આદિમાં કોઈ પણ કારણસર સાધુઓનું અનવસ્થાન (= ન રહેવાનું) દેખીને અને ગુપ્ત આદિ રીતિએ અનવસ્થાન જાણીને અત્રે સાધુઓનું અવસ્થાન થાય તે માટે અશનાદિ ચારે પ્રકારના આહારનું વાવણી વગેરેથી ઉત્પાદન કરે. • પ્રારંભથી જ આધાકર્મ અશનના સંભવ વિષયમાં જિનદત્તનું દૃષ્ટાંત • - તેમાં અશન ઉત્પાદનને આશ્રયીને પૂર્વાચાર્ય દ્વારા કથિત કથાનક આ પ્રમાણે છે. અનેક સેંકડો કુલથી યુક્ત સંકુલ નામે ગામ હતું. ત્યાં જિનદત્ત નામના શ્રાવક રહે. તેમની જિનમતિ નામે પત્ની હતી. તેમને ત્યાં કોદ્રવ અને રાગનો પાક થતો હતો. (‘ોદ્રવ = ચોખાની હલકી જાતનું એક અનાજ. “રાના' = રાલગ નામના ચોખા = લચકો = એક પ્રકારની કંગુ) તેથી તેમને ત્યાંથી ગોચરીમાં કૂર (= ચોખા = ઓદન = ભાત) પ્રચુર માત્રામાં મળતા હતા. વસતિ પણ રમણીય મળતી હતી. સ્વાધ્યાય પણ સુંદર રીતે થતો હતો. પરન્તુ આચાર્યને પ્રાયોગ્ય શાલીનૂર મળતા ન્હોતા (‘શાનીર' = શ્રેષ્ઠ ચોખા. આજના હિસાબે બાસમતી થી પણ શ્રેષ્ઠ.) માટે કોઈ પણ આચાર્યો ત્યાં સ્થિરતા કરતા ન હતા. એકવાર કોક આચાર્યશ્રીએ વસતિ શોધવા માટે કેટલાક ગુણનિધિ સાધુઓને આ નગરે મોકલ્યા. જિનદત્તે તેઓને રમણીય વસતિ સમર્પણ કરી. મુનિઓએ જિનદત્તને કહ્યું કે અમારા ગુરૂદેવે અમોને વસતિ જોવા મોકલ્યા છે વગેરે. સાધુઓએ ક્ષેત્રનું પડિલેહણ કર્યું. અર્થાત્ અહીં ભિક્ષા સુલભ છે ને ? જૈનો કેટલા છે? વિઘો સુલભ છે ને ? વગેરે. જિનદત્તે તેઓને પૂછયું “આપને આ ક્ષેત્ર ગમ્યું? શું આચાર્યો અહીં પધારશે?” મુનિઓએ જવાબ આપ્યો “આચાર્યો વિચાર કરશે. યોગ્ય લાગશે તો પધારશે” વગેરે. જિનદત્ત વિચારે છે કે “અહીં ક્ષેત્ર પડિલેહણ માટે સાધુઓ આવે છે ખરા પરન્તુ અહીં કેમ રોકાતા નથી તેનું કારણ જણાતું નથી.” એટલે કારણ જાણવા માટે તે સાધુઓમાંથી એક ઋજુ સાધુને તેમણે કારણ પૂછ્યું. ઋજુ સાધુએ જવાબ આપ્યો. - “આ ક્ષેત્ર જો કે TM = ગચ્છને યોગ્ય છે. પરન્તુ આચાર્યોને પ્રાયોગ્ય શાલીનૂર અહીં મળતા નથી.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy