SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ ४१७ तथेयं स्त्रीपशुपण्डकविवर्जिता सेवनीया। इतरथा'थीपशुपंडगजुत्ताए मोहानलदीवियाण जंतुण। पायमसुहा पवित्ती, पूव्वभवब्भासओ होज्जा' ।।५।। 9 किदृशं वस्त्रं कल्प्यं ? तस्येकेन्द्रियाद्यवयवनिष्पत्तिभेदात्त्रिविधत्वं, पुनर्जघन्यादिभेदात्त्रिविधत्वं, प्रत्येकं पुनर्यथाकृताऽल्प-बहुपरिकर्मभेदात्रिधा है तथा वस्त्रमपि दोषदुष्टं वयं । तत्र तावत् वस्त्रमेकेन्द्रियविकलेन्द्रियपञ्चेन्द्रियावयवनिष्पत्तिभेदात् त्रिधा स्यात् । तत्राद्यं कार्पासिकं, द्वितीयं कौशेयकादि पञ्चेन्द्रियावयवनिष्पन्नपूर्णादिमयं च तृतीयं । नवरं कारणग्राह्यं कौशेयकादि । तथा जघन्यादिभेदाद्वस्त्रं त्रिविधं ज्ञेयं । तत्र मुखवस्त्रिकादि जघन्यं । चोलपट्टपटलादि मध्यमं । प्रच्छादनपट्याधुत्कृष्टं । एतत्पुनः प्रत्येकं यथाकृताल्पबहुपरिकर्मभेदात् त्रिधा स्यात् । अत्र च ग्रहणविधिं प्रतीत्य पूर्वं यथाकृतं ग्राह्यं, तस्य सर्वोपाधिशुद्धत्वात् । तदलाभेऽल्पपरिकर्म ग्राह्यं । तस्य स्तोकदोषत्वात् । तस्याभावे बहुपरिकॉपि ग्राह्यं । વગેરે બધાજ કાર્યો માટે સાધુઓનો વાસ ગામોમાં હોય છે. અને તે ગામોમાં જે વસતિ = ઉપાશ્રય હોય છે તે વિટ્ટ = પૃષ્ઠીવંશઆદિથી યુક્ત હોય છે. માટે “ટ્ટિ = પૃષ્ટિવંશઆદિથી યુક્ત એવી વસતિની વાત કરાઈ છે. તથા, સ્ત્રી-પશુ-પપ્ટક = નપુંસકથી રહિત એવી વસતિમાં વાસ કરવો. थी-पशु-पंडगजुत्ताए मोहानलदीवयाण जंतुण । पायमसुहा पवित्ती, पूव्वभवब्भासओ होज्जा ।। અર્થ :- સ્ત્રી-પશુ-પંડકથી યુક્ત વસતિથી, મોહરૂપી આગવડે બળતા જીવોની પ્રાયઃ કરીને પૂર્વભવના અભ્યાસના કારણે પ્રવૃત્તિ અશુભમાં = વિષય-વાસનામાં થતી હોય છે. • કેવું વસ્ત્ર કહ્યું ? તેનાં એકેન્દ્રિયાદિનાં અવયવથી ઉત્પત્તિ વગેરે ૩ પ્રકારો, વસ્ત્રના જઘન્યવગેરે ૩ ભેદો, વળી પ્રત્યેકના યથાકૃત, અલ્પ-બહુપરિકર્મનાં ભેદથી ૩ પ્રકારો છે તથા, દોષથી દુષ્ટ હોય એવું વસ્ત્ર પણ વર્જવું જોઈએ. વસ્ત્ર, એકેન્દ્રિયનાં અવયવથી બનેલું, વિકસેન્દ્રિયનાં અવયવથી બનેલું અને પંચેન્દ્રિયનાં અવયવથી બનેલું. એમ ત્રણ પ્રકારે હોય છે. તેમાં પ્રથમ એકેન્દ્રિયના અવયવથી બનેલું એ કપાસ વગેરે. બીજું વિકસેન્દ્રિયના અવયવથી બનેલું કૌશય = રેશમ વગેરે અને ત્રીજું પંચેન્દ્રિયનાં અવયવથી બનેલું ઉનમય વગેરે. આ ત્રણેયપ્રકારમાંથી જે રેશમ વસ્ત્ર છે એ કોઈ કારણસર જ ગ્રહણ કરાય છે. [કારણ કે રેશમી વસ્ત્ર કિંમતી હોય છે, રાગનું કારણ બને છે. એમાં જીવહિંસા વધુ હોય છે. તથા શાસ્ત્રની આ મર્યાદા છે કે સામાન્યથી સુતર કે ઉનના કપડાં જ વાપરવા. વિશેષ પ્રયોજને જ રેશમી વાપરવા. इति पूज्य - जयघोषसूरयः] જે કોઈપણ વસ્ત્ર હોય. એનાં ત્રણભેદ જાણવા. (૧) જઘન્ય = મુહપત્તી વગેરે..(૨) મધ્યમ = ચોલપટ્ટો વગેરે. (૩) ઉત્કૃષ્ટ = ઓઢવાનો કપડો. આ ત્રણે જઘન્યાદિપ્રકારોના પાછા યથાકૃત - અલ્પપરિકર્મ - બહુપરિકર્મના ભેદથી ત્રણપ્રકારો પડે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy