SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ ३९६ दर्शनेन प्रकामादिदोषत्रयमप्युपलक्षितं द्रष्टव्यं । केवलं प्रकामादित्रयाभणनेन यदतिबहुकादित्रयस्योपादानं तदस्यात्मविराधनादिजनकत्वेनातिपरिहारताख्यापनार्थं । प्रमाणाऽतिरिक्तभोजने दोषाः, प्रमाणोपेतभोजने गुणाश्च ॥ तत्रांत्मविराधना मरणादेः, संयमविराधना तु तापनार्थं तेजस्कायादिविराधनातः, प्रवचनविराधना तु औदरिका एते इत्यादि जनापवादात् । उपलक्षणत्वादेतदनुसारतः प्रकामादिभोजनत्रयेऽप्येतेऽन्ये. च ब्रह्मचर्यविराधनादयो दोषा वाच्याः। तस्माद्गुणकारित्वात् प्रमाणोपेतमेव भोक्तव्यं । किं च ये नरा अपथ्यपरिहारिणः, द्वात्रिंशत्कवलभोजिनो वा, द्वात्रिंशतः स्तोकतरभोजिनो वा स्युस्तेऽपरवैद्यचिकित्स्या न स्युः किन्तु ते स्वत एवोक्ताहारनिषेवणादात्मनो वैद्यकल्पा इति प्रमाणयुक्तभोजने विशेषगुणस्ततो ‘તમ્' = તે અતિબહુકાદિ ભોજન કેવું હોય ત્યારે ઝાડા વગેરે કરાવે? તે કહે છે, “મનીત' = સનીર્થત્’ = અજીર્ણ થતું. પરિણમન ન પામતું અર્થાત્ નહિંપચતું ભોજન. અહીં, મૂળકારશ્રીએ દોષદર્શન કરાવવાદ્વારા અર્થાત્ અતિબહુકાદિ ત્રણદોષના દર્શન કરાવવા દ્વારા પ્રકામાદિ બાકીના ત્રણેય દોષની વાત ઉપલક્ષણથી કરી દીધી છે એમ સમજી લેવું. પ્રકામાદિ ત્રણ દોષોનો ઉલ્લેખ કર્યાવિના માત્ર જે અતિબહુકાદિ ત્રણદોષોને લીધા છે તેનું કારણ એ છે કે અતિબહુકાદિ ત્રણદોષો એ આત્મવિરાધના વગેરે ઉત્પન્નકરનાર હોવાથી એનો અત્યંત પરિહાર = ત્યાગ કરવો એમ બતાવ્યું છે. • પ્રમાણથી વધારે ભોજનમાં દોષો અને પ્રમાણસર ભોજનમાં ગુણો છે. આત્મવિરાધનાઆદિની સંભાવના જણાવતાં કહે છે કે, અજીર્ણ પામતાં આહારાદિથી મરણ વગેરે થાય એ આત્મવિરાધના. અજીર્ણથી શરીર અત્યંતઠંડુ પડી જાય વગેરે કારણે શરીરમાં પ્રાણનો સંચાર કરવા તાપણાં વગેરે કરાય છે જેમાં તેજસ્કાયાદિની વિરાધના થાય. એ સંયમવિરાધના. [અહીં પ્રાસંગિક થોડી વાત જાણવી કે પૂર્વકાળમાં જ્યારે છાતી અચાનક અટકી જાય. કે શરીર એકદમઠંડુ પડી જાય ત્યારે ચારેબાજુ મોટા તાપણાં કરવામાં આવતાં કે જેથી ગરમીના લીધે છાતી પાછી ધડકતી થઈ જાય. અથવા શરીરમાં ગરમી પેદા થતાં શરીરમાં પ્રાણનો સંચાર ચાલુ થઈ જાય. વર્તમાનમાં પણ તીવ્રહૃદયરોગના હુમલાદિમાં ડૉક્ટરો કરન્ટના શોક આપે છે. જેથી છાતીનો ધબકાર ચાલુ થઈ જાય. એ કરંટ એટલે એક જાતનું તાપણું જ છે ને ? અસ્તુ.]. તથા, “આ લોકો ખાઉધરા છે” એ પ્રમાણે લોકોમાં અપવાદ થાય. એ રીતે પ્રવચનવિરાધના થાય. અતિબહુકાદિઆહારમાં જેમ આત્મવિરાધનાદિ ત્રણ દોષો બતાવ્યા. એજ રીતે ઉપલક્ષણથી પ્રકામાદિ ભોજનમાં પણ આ ત્રણેય અને બીજા પણ બ્રહ્મચર્યવિરાધનાઆદિ દોષો જાણવા. ઉપરોક્તદોષોથી બચવા માટે પ્રમાણસર જ ભોજન લેવું જોઈએ. કારણ કે, તે ગુણકારી છે. વળી જે લોકો અપથ્યને છોડનારા હોય છે. ૩રકોળીયા કે તેથી પણ ઓછું વાપરનારા હોય છે. તેઓને બીજા ત્રીજા વૈદ્ય પાસે ચિકિત્સા કરાવવાની જરૂર નથી પડતી. કારણ કે ઉપરોક્ત પ્રમાણસર ભોજન લેનારા તેઓ જાતે જ વૈદ્ય જેવા છે. આમ, પ્રમાણયુક્ત ભોજન કરવામાં વિશેષ ગુણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy