SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ त्युच्यते । तच्च केवलप्रकामत्वेनैतैरगलत्स्नेहबिन्दुभिर्जेयम् । यदि तु गलत्स्नेहबिन्दुभिः स्यात्तदा प्रकामः प्रणीतश्च दोषौ स्यातामेवं शेषदोष(षेषु)दोषसङ्करत्वमपि भावनीयं १। तथा प्रकामभोजनमेव द्व्यादिदिनेषु क्रियमाणं निकाममुच्यते २ । उत्पाट्यमानकवलेभ्यो गलघृतादिकं भोजनं प्रणीतमुच्यते ३। एकस्मिन् दिने न्यूनोदरतारहितत्वेन परिपूर्णभोजनं बहुकमुच्यते तद्बहुकमतिक्रान्तमतिशयेन स्वप्रमाणाधिकं यदशनादिकं वारद्वयं भुङ्क्ते तदतिबहुकमिति ४ । तिस्रो वारा यदशनादिकं भुङ्क्ते तदतिबहुश उच्यते ५। तिसृभ्यो वाराभ्यः परतश्चतस्रादिवारा अतिलौल्यात्तृप्तिममन्यमानः साधुर्यदशनादिकं भुङ्क्ते तदतिप्रमाणमतृप्यमानं वोच्यते ६। तदिदं प्रमाणदोषदुष्टं षड्विधमप्याहारं साधुन भुजीत । तथा विरुद्धद्रव्याहारोऽपि देहसंयमक्षतिकारित्वेन क्लेशफल एव ज्ञेयोऽतः सोऽपि न भोक्तव्यो यथा दधितैलयोः क्षीरतैलयोर्वा संयोगः कुष्ठविकारकारी, समभागयोश्च तैलघृतयोमिलितयोः संयोगः कियताऽपि कालेन विषत्वभाजी भवेच्चेति गाथार्थः ।।९५ ।। (૧) “વા = બત્રીશકોળીયાથી વધારે. એટલે કે તેત્રીશ વગેરે કોળીયાનું ભોજન એકજ દિવસમાં કરે તો એ પ્રકામ કહેવાય છે. અહીં આટલું ધ્યાન રહે કે જે આહારાદિમાંથી સ્નેહ = ઘી વગેરે ચીકણા પદાર્થોના બિન્દુઓ ટપકતાં ન હોય. એવા કોળીયાઓમાં પ્રકામપણું જાણવું. જો એજ પ્રકામઆહારમાં સ્નેહના બિન્દુઓ ટપકતાં હોય = ઘી વગેરેથી લથપથ હોય તો એમાં પ્રકામ અને પ્રણીત બન્ને દોષો સંભવે છે. આ જ પ્રમાણે છએ છ દોષોમાં દોષોનું સંકરપણું જાણવું. () નિઝામ' = પ્રકામ ભોજન જ જો એકથી વધુ દિવસો કરવામાં આવે. અર્થાતુ બીજા-ત્રીજા વગેરે દિવસોમાં કરવામાં આવે તો એને નિકામ કહેવાય છે. (૩) “પ્રીત' = કોળીયારૂપે ઉપાડવામાં આવતાં આહારાદિમાંથી જો ઘી વગેરે ગળતું હોય = ટપકતું હોય તો એ ભોજન પ્રણીત = લથપથતું કહેવાય છે. (૪) તિવહુ' = એક દિવસે ન્યૂનોદરતાવિના = ઉણોદરીવિના પેટ ભરીને પરિપૂર્ણભોજન વાપરે એ “વહુ' કહેવાય છે. તે બહુકમને ઓળંઘીને અતિશય. એટલે કે પોતાના પેટ માટે પર્યાપ્ત આહારના પ્રમાણ કરતાં વધારે અશનાદિ જે બેવાર વાપરે. તે અતિબહુકમ્ કહેવાય છે. - (૫) “વિવશ' = ત્રીજીવાર જે અતિબહુકમ્ અશનાદિ વાપરે છે. (૬) “અતિપ્રમા' = તૃણમા = અતિલોલુપતાથી ત્રણવારથી વધારે ચોથીવગેરેવાર અતિ બહુકમ્ વાપરે. આ પ્રમાણદોષથી દુષ્ટ છે એ પ્રકારના આહાર સાધુ વાપરે નહિ. તથા, દેહ અને સંયમનો ક્ષયકરનાર એવા વિરુદ્ધદ્રવ્યનો આહાર પણ ક્લેશફળ જ છે. માટે તેવા ભોજન પણ ન કરવા. વિરુદ્ધદ્રવ્ય કોને કહેવાય ? તે જણાવતાં કહે છે. જેમકે દહીંનો તેલ સાથે સંયોગ અથવા ક્ષીરનો તેલ સાથેનો સંયોગ એ કુખવિકારને કરનાર છે. તેમજ, સમાનભાગે મેળવેલ ઘી અને તેલનો સંયોગ એ કેટલાંક કાળ પછી વિષને કરે છે. આ પ્રમાણે ૯૫મી ગાથાની વ્યાખ્યા કરી.I૯પા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy