SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ ३३७ कादिनावष्टब्धं तु सचित्ताप्कायपरम्परपिहितं । तथा यद् इड्डरिकाद्युपरिन्यस्तदह्यमानहिङ्ग्वादिकेना ङ्गारेण वास्यते मण्डकादिकं चोपरिस्थिताङ्गारं तत्तेजस्कायानन्तरपिहितं । यन्मण्डकादि भाजनस्थमुपरिस्थिताग्निकशरावणान्यद्वोपरिन्यस्ताङ्गारढिक्करिकादिना यत्स्थगितं तत्तेजस्कायपरम्परपिहितं । तथा यदिड्डुरिकाद्युपरिन्यस्ताङ्गारं तद्वायुनाप्यनन्तरपिहितं यत्राग्निस्तत्र वायुरितिवचनादिह स्पर्शमात्रेणैव विवक्षया पिहितत्वं ज्ञेयम् । यद्भाजनस्थं मण्डकादि वायुभृतबस्तिना पिहितं तदधो मण्डकादि तदुपरि बस्तिचर्म तदुपरि वात इतिकृत्वा परम्परवायुपिहितं । तथा मण्डकादि पत्रबीजपूरकादिफलादिना स्थगितं वनस्प्त्यनन्तरपिहितं । तथा मण्डकादि मध्यस्थितफलादिशरावच्छज्जिकादिना पिहितं परम्परपिहितं, तदेव मण्डकाद्युपरि सञ्चरत्कीटिकाकुन्थुयुक्तं वसानन्तरपिहितं । तदेवोपरिस्थितकीटिकादिकशरावादिना पिहितं परम्परपिहितं । अत्र परिहार्यापरिहार्यविधिमाह। तत्र तेषु चतुर्भङ्गेषु मध्ये ઉપરોક્ત ચતુર્ભગીમાં ત્રીજા ભાંગાને આશ્રયીને અચિત્ત દયદ્રવ્ય પર સચિત્ત અનન્તર અને પરસ્પર પિહિતનો સંભવ દર્શાવાય છે. પૃથ્વીકાય :- સચિત્તમાટીઆદિથી ઢાંકેલ મર્ડકવગેરે = અનન્તરસચિત્તપૃથ્વીકાયપિહિત. સચિત્તમાટી યુક્ત ઢાંકણાઆદિથી ઢાંકેલ મણ્ડકવગેરે = પરમ્પરસચિત્તપૃથ્વીકાયપિહિત. અપ્લાય :- હિમ = બરફઆદિથી ઢાંકેલ મંડકવગેરે = અનન્તરસચિત્તઅપ્લાયપિહિત છે. હિમ = બરઆદિ યુક્ત ઢાંકણાથી ઢંકાયેલ મંડકઆદિગ્રાહ્યવસ્તુ = પરમ્પરસચિત્તઅષ્કાયપિહિત. તેજસ્કાય :- “રૂરિજા' = હાંડવા વગેરે ઉપર હિંગ નાખેલ અંગારો મૂકીને એને એનાથી વાસિત કરે અર્થાત્ વઘાર કરે અથવા મંડકાદિઉપર અંગારો હોય = અનન્તરસચિત્તતેજસ્કાયપિહિત છે. ભાજનમાં રહેલ મંડકાદિપર, અગ્નિવાળો શરાવ = કોડીયું જેમકે દેરાસરમાં દશાંગધૂપાદિ કરતી વખતે અંગારાથી યુક્ત જે કોડીયું હોય છે તેવું, ઢાંકવામાં આવે. અથવા તો અંગારાવાળા બીજા કોઈ ઠીકરાદિથી જે ઢાંકવામાં આવે = પરંપરસચિત્તતેજસ્કાયપિહિત છે. વાયુકાય :- જે હાંડવા વગેરે ઉપર અંગારો આવે તેમાં વાયુથી પણ સચિત્તઅનન્તરપિહિત થાય છે, કારણ કે “વત્રનિસ્તત્ર વારિતિ વર્ષના = જ્યાં અગ્નિ હોય ત્યાં વાયુ હોય છે એવું શાસ્ત્રનું વચન છે. અહીં વાયુના સ્પર્શમાત્રની વિવક્ષા દ્વારા પિહિતપણું જાણવું. જે ભાજનમાં રહેલ મંડકાદિ વાયુથી ભરેલ મશકથી ઢંકાયેલ હોય તે સચિત્તપરંપરવાયુકાય પિહિત છે. કાકે, વાયુ અને કંડકાદિવચ્ચે મશકનું ચામડું છે. એ રીતે પરંપર પિહિત જાણવું. વનસ્પતિકાય :- મંડકાદિને પત્ર = પાંદડા - બીજોરું વગેરે ફળઆદિથી ઢાંકે તે સચિત્તઅનન્તરવનસ્પતિકાયપિહિત છે. ફળાદિયુક્ત શરાવ કે ઢાંકણાવગેરે દ્વારા મંડકાદિ ઢાંકવામાં આવે તે સચિત્તપરમ્પરવનસ્પતિકાયપિહિત છે. ત્રસકાય :- મંડકાદિ ઉપર સંચરતા ફરતાં કીડી-કન્યુઆ વગેરે હોય તે સચિત્તઅનન્તરત્રસકાયપિહિત છે. મંડકાદિઉપર કીડીવગેરેવાળું શરાવવગેરે ઢાંકે તે સચિત્તપરમ્પરત્રસકાયપિહિત છે. હવે પરિહાર્ય-અપરિહાર્યવિધિને જણાવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy