SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ भववनमूलमित्युक्तं । तत्र गर्भाधानशाटरूपे मूलकर्मणि राजपत्न्यौ दृष्टान्तो यथा गर्भधारण गर्भशाटनविषये दृष्टांतः वसंतपुरे जियसत्तू राया । तस्स दो देवीउ । अण्णया विसयसुहमणुहवंताणं एगाए गंभो पाउब्भूओ । इय इमी पुत्तो भविस्सइ न मज्झत्ति ईसानलेन इज्झती अधिईए चिट्ठइ । एत्यंतरे एगो साहू भिक्खं अडतो तीए गिहे पविट्ठी । तेण भणिया जहा भद्दे ! किं विच्छायमुही दीससि ? तीए वृत्तं जहा मम सवत्ती आवन्नसत्ता, पुत्तो तीए आइट्ठो नेमित्तिएणेति । तेण भणियं भद्दे ! ओसहप्पयाणेण तुज्झवि गब्भाहाणं करिस्सामि मा अधीइं कुणसु । तीए भणियं भट्टारया ! जइवि मे सुओ होही तुम्होसहप्पभावाउ तहवि सो पच्छासमुब्भूयगब्भजायत्तणेण कणिट्ठोत्ति न जुवराया भविस्सइ । इयरीए पुण पढमसमुब्भूयगब्भजायत्तणेण जेट्ठो त्ति जुवराया भविस्सइ । तउ साहुणा तीसे एक्कं ओसहं दिन्नं, अन्नं तीसे सयासाउ चेव इयरीए गब्भपाडणं दवावियं, दिने जायं गब्भसाडणं, इयरीए य सूओ जाओ । जाओ य जुवराय त्ति । विवाहकरणरूपे तस्मिन् दृष्टान्तो यथा विवाहकरणविषये दृष्टांतौ આ ‘મૂળકર્મ’ કેવું છે ? તે કહે છે, “મહાપાપં’ ‘મહાપાપં’ = મહાપાપ છે. ઘણાં લાંબા સમય સુધી ભોગવાય વેદાય એવા અશુભકર્મનાં કારણભૂત, શિષ્ટજનોને નિન્દ, અત્યંત પાપીલોકોદ્વારા આચરણીય એવું મહાપાપ છે. માટે જ એને ‘ભવવનમૂન' કહેવાયું છે. તેમાં, ગર્ભનું આધાન અને ગર્ભનું શાટન સ્વરૂપ મૂળકર્મવિશે બે રાજપત્નીઓનું દૃષ્ટાંત કહેવાય છે. • ગર્ભધારણ અને ગર્ભશાટનવિષયક દૃષ્ટાંત ૦ = Jain Education International = વસંતપુરનગરમાં જિતશત્રુરાજાને બે રાણીઓ હતી. વિષયસુખ અનુભવતા એક રાણીને ગર્ભ રહ્યો. બીજી રાણી ‘આને પુત્ર થશે પણ મને નહિ ?' એવી ઈર્ષ્યાની આગથી દાઝતી અધીરી બની છે. એટલામાં એક સાધુ ભિક્ષામાટે ફરતો ફરતો તેના ઘરમાં પ્રવેશે છે. સાધુએ તેને પૂછ્યું ‘ભદ્રે ! કેમ આવી ઉતરીગયેલા મુખવાળી દેખાય છે ?.’ તેણીએ કહ્યું ‘મારી શોક્ય ગર્ભવાળી છે ને નૈમિત્તિકે કહ્યું છે કે એને પુત્ર થશે.' મુનિએ કહ્યું ‘ભદ્રે ! ઔષધ આપવા દ્વારા તમને પણ ગર્ભધારણ કરાવી દઈશ ? અધીરા ના થશો.' પેલીએ કહ્યું ‘ભટ્ટારક ! તમારા ઔષધના પ્રભાવે જોકે મને પુત્ર થશે ખરો પણ મને ગર્ભ પાછળથી રહ્યો હોવાથી તેનો જન્મ પાછળથી થશે, તેથી નાનો એવો તે યુવરાજ બની નહિ શકે. પરન્તુ શોક્યને પ્રથમ ગર્ભધારણ થયું હોવાથી એનો પુત્ર પ્રથમ જન્મ પામશે, તેથી મોટો થવાથી તે જ યુવરાજ બનશે.' સાધુએ તેણીને પુત્ર થવાનું એક ઔષધ આપ્યું અને એના દ્વારા જ બીજું ઔષધ શોક્યને ગર્ભ પાડવાનું અપાવ્યું. તેનાથી શોક્યનો ગર્ભ પડી ગયો અને આને પુત્ર થયો. તે યુવરાજ બની ગયો. હવે વિવાહકરણનું દૃષ્ટાંત જણાવે છે. ३०९ ♦ વિવાહકરણવિષયક બે દૃષ્ટાંત ૦ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy